National

સ્વાતિ માલીવાલના મુદ્દે કેજરીવાલ ચૂપ, પ્રેસ કોન્ફરન્સમાં ટાળ્યો પ્રશ્ન

નવી દિલ્હી: યુપીની રાજધાની લખનૌમાં (Lucknow) ગુરુવારે સવારે સપા-આપની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ (Press conference) યોજાઈ હતી. જેમાં AAPના કન્વીનર અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) અને SP સપાના ચીફ અખિલેશ યાદવે વાત કરી હતી અને લોકસભા ચૂંટણીમાં (Lok Sabha Elections) ઈન્ડિયા ગઠબંધનની જીતનો દાવો કર્યો.

અખિલેશ યાદવ સાથે પ્રેસ કોન્ફરન્સ કરવા ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉ પહોંચેલા દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને જ્યારે સ્વાતિ માલીવાલ સાથે જોડાયેલા વિવાદના મુદ્દે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે ચૂપ રહેવાનું પસંદ કર્યું હતું. ત્યાર બાદ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું કે દેશમાં સ્વાતિ માલીવાલ કરતા પણ મોટા અને મહત્વના મુદ્દાઓ છે.

સંજય સિંહે મણિપુર પર બોલવાનું શરૂ કર્યું
પ્રેસ કોન્ફરન્સમાં સ્વાતિ માલીવાલ સંબંધિત મુદ્દો સામે આવ્યા બાદ આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહ પણ બચાવમાં દેખાયા હતા. તેમણે કહ્યું કે આ મામલે તેમને જે પણ જવાબ આપવાનો હતો તે તેઓ પહેલા જ આપી ચૂક્યા છે. આ મામલે રાજનીતિ ન થવી જોઈએ.

સંજય સિંહે કહ્યું કે મણિપુરમાં જે થયું તે જોઈને આખો દેશ દુઃખી છે. પરંતુ પીએમ મોદીએ આ મુદ્દે મૌન સેવ્યું હતું. પ્રજ્વલ રેવન્નાએ હજારો મહિલાઓ પર બળાત્કાર કર્યો, પરંતુ પીએમ મોદી પ્રજ્વલ રેવન્ના માટે વોટ માંગી રહ્યા હતા. જ્યારે અમારા કુસ્તીબાજો જંતર-મંતર પર વિરોધ કરી રહ્યા હતા, ત્યારે તત્કાલીન DCW સ્વાતિ માલીવાલને પોલીસે માર માર્યો હતો. પીએમ મોદી આ મુદ્દાઓ પર મૌન રહ્યા. સ્વાતિ માલીવાલના મુદ્દે રાજનીતિ ન કરવી જોઈએ.

શું છે સમગ્ર મામલો?
હાલમાં જ સીએમ કેજરીવાલના ઘરે આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ સાથે ગેરવર્તનનો મામલો સામે આવ્યો હતો. મળતી માહિતી મુજબ સ્વાતિ માલીવાલે સોમવારે સવારે સીએમ આવાસ પર બિભવ કુમાર પર મારપીટનો આરોપ લગાવ્યો હતો. આ મુદ્દે ભાજપ વિરોધ પ્રદર્શન પર ઉતરી આવ્યું હતું.

દિલ્હી બીજેપી સ્ટેટ કમિટીના કાર્યકરો સીએમ કેજરીવાલનો વિરોધ કરી રહ્યા છે. દિલ્હી પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર દિલ્હી પોલીસે સ્વાતિ માલીવાલનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. સ્વાતિ માલીવાલ ન તો તેના નિવાસસ્થાને કે ન તો ચિત્તરંજન પાર્ક વિસ્તારમાં તેના સંબંધીના ઘરે છે.

Most Popular

To Top