National

જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ બનશે 50મા CJI, ચીફ જસ્ટિસ યુયુ લલિતે સરકારને નામ મોકલ્યું

નવી દિલ્હી: જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ (Justice DY Chandrachud) દેશના આગામી મુખ્ય ન્યાયાધીશ (Chief Justice) હશે. વર્તમાન ચીફ જસ્ટિસ યુયુ લલિતે (Chief Justice UU Lalit) પોતાના અનુગામી એટલે કે દેશના આગામી સીજેઆઈ તરીકે જસ્ટિસ ડીવાય ચંદ્રચુડના નામની કેન્દ્ર સરકારને (Central Government) ભલામણ કરી છે. કેન્દ્રને પત્ર મોકલતા પહેલા ચીફ જસ્ટિસ યુયુ લલિતે આજે સુપ્રીમ કોર્ટના તમામ જજોની બેઠક બોલાવી હતી. કહેવાય છે કે દેશના વર્તમાન CJI સરકારને તેમના અનુગામીની ભલામણ કરતો ઔપચારિક પત્ર મોકલે છે. ત્યારે આગામી 8 નવેમ્બરે CJI યુયુ લલિતના કાર્યકાળ બાદ ચંદ્રચુડ CJI બનશે.

હકીકતમાં કેન્દ્ર સરકારે CJI યુયુ લલિતને આગામી CJIના નામની ભલામણ કરવા કહ્યું હતું. યુયુ લલિતનો કાર્યકાળ 8 નવેમ્બર સુધીનો છે. સંમેલન મુજબ, CJI સરકારને બીજા સૌથી વરિષ્ઠ ન્યાયાધીશના નામની ભલામણ કરે છે. હાલમાં જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ જસ્ટિસ યુયુ લલિત પછી બીજા સૌથી વરિષ્ઠ જજ છે.

આ એક પ્રકારની પરંપરા છે જેના મુજબ જ મુખ્ય ન્યાયાધીશ, કેન્દ્ર તરફથી ઔપચારિક વિનંતી પ્રાપ્ત કરીને, તેમની નિવૃત્તિના લગભગ એક મહિના પહેલા સીલબંધ કવરમાં તેમના અનુગામીના નામની ભલામણ કરે છે. જો કે, મુખ્ય ન્યાયાધીશ તેમના પછીના સૌથી વરિષ્ઠ ન્યાયાધીશના નામની ભલામણ કરે છે, ત્યારબાદ સરકાર તેમની નિમણૂક કરે છે.

ચીફ જસ્ટિસ યુયુ લલિત 8 નવેમ્બરે થશે નિવૃત
ચીફ જસ્ટિસ યુયુ લલિતનો 74 દિવસનો કાર્યકાળ પૂરો થવા જઈ રહ્યો છે. તેઓ 8 નવેમ્બરે નિવૃત્ત થઈ રહ્યા છે. 9 નવેમ્બરે જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ બે વર્ષ માટે દેશના આગામી ચીફ જસ્ટિસ હશે. હાલના નિયમ મુજબ, જસ્ટિસ ચંદ્રચુડ 11 નવેમ્બરે તેમના 65માં જન્મદિવસના એક દિવસ પહેલા 10 નવેમ્બર, 2024ના રોજ નિવૃત્ત થશે. સુપ્રીમ કોર્ટમાં શપથ ગ્રહણ દરમિયાન એ સ્પષ્ટ થઈ જાય છે કે મુખ્ય ન્યાયાધીશ કોણ બનશે અને તેમનો કાર્યકાળ કેવો રહેશે. વર્તમાન રેકોર્ડ અનુસાર, દેશને 2027માં પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ મળશે. જસ્ટિસ બીવી નાગરથ્ના માત્ર 27 દિવસ માટે દેશની સુપ્રીમ કોર્ટનું નેતૃત્વ કરશે. તેમના પિતા જસ્ટિસ ES વેંકટરામૈયા પણ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રહી ચૂક્યા છે.

Most Popular

To Top