Business

ઈઝરાયલના PMએ ‘આશીર્વાદ’ અને ‘શ્રાપ’ લખેલા બે નક્શા UNમાં બતાવ્યાઃ ભારતનો મેપ કેમ બતાવ્યો?

નવી દિલ્હીઃ ઈઝરાયેલ દ્વારા લેબનોનમાં આતંકી સંગઠન હિઝબુલ્લાહ સામે યુદ્ધ છેડવામાં આવી રહ્યું છે. છેલ્લાં એક અઠવાડિયાથી ઈઝરાયેલી સેના લેબનોનમાં હિઝબુલ્લાહના ઠેકાણાઓ પર હવાઈ હુમલા કરી રહ્યું છે. શુક્રવારે ઈઝરાયેલ બૈરૂત પર હુમલો કરી હિઝબુલ્લાહના ચીફ હસન નસરલ્લાહને મોતને ઘાત ઉતાર્યો છે. બીજી તરફ ઈઝરાયેલના વડાપ્રધાન ન્યુયોર્કમાં યુએનને સંબોધત કરતા દેખાયા હતા. અહીં ઈઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુએ બે નકશા બતાવી મોટો ઈશારો કર્યો હતો. આ બે નકશા પૈકી એક નકશામાં ભારત જોવા મળ્યું હતું.

ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને શુક્રવારે ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સંબોધી હતી. તેમની સ્પીચ પર દરેક દેશના નેતાઓની નજર હતી. સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પોતાના સંબોધનમાં તેઓ બે નકશા લઈને સ્ટેજ પર પહોંચ્યા હતા. બંને નકશા મધ્ય પૂર્વ એશિયાના હતા પરંતુ એક નકશો કાળો અને બીજો નકશો લીલા રંગનો હતો. પહેલાં કાળા નકશાને શ્રાપ અને બીજા ગ્રીન નકશાને આશીર્વાદ તરીકે વર્ણવવામાં આવ્યું હતું. ગ્રીન મેપમાં ભારતનો ઉલ્લેખ હતો.

વાસ્તવમાં નેતન્યાહુ બે નકશા લઈને સ્ટેજ પર ઉભા હતા. તેના જમણા હાથમાં મધ્ય પૂર્વનો નકશો હતો. જેમાં ઈરાન, ઈરાક, સીરિયા અને યમનનો રંગ કાળો હતો. તેને “શાપ” કહેવામાં આવતું હતું. તેના ડાબા હાથમાં ઈજિપ્ત, સુદાન, સાઉદી અરેબિયા અને ભારત સહિતના દેશોનો નકશો લીલો રંગમાં હતો જેમાં “આશીર્વાદ” લખ્યું હતું.

બંને નકશામાંથી પેલેસ્ટાઈન ગાયબ હતું
બંને નકશામાં એક વસ્તુ સમાન હતી. બંને નકશામાંથી પેલેસ્ટાઈન સંપૂર્ણપણે ગાયબ હતું. લીલા રંગના આશીર્વાદ અને કાળા રંગના શ્રાપ વાળા નકશામાં પેલેસ્ટાઈનનું કોઈ અસ્તિત્વ ન હતું. શુક્રવારે પોતાના સંબોધનમાં નેતન્યાહૂએ મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ માટે ઈરાન અને તેના સહયોગીઓને જવાબદાર ગણાવ્યા હતા. તેમણે કહ્યું, બનાનામાં હિઝબુલ્લાહ, ગાઝામાં હમાસ અને યમનમાં હુથીઓને તેહરાન દ્વારા મદદ કરવામાં આવી રહી છે. અમે ઈરાન સમર્થિત લડવૈયાઓથી પોતાનો બચાવ કરી રહ્યા છીએ.

નેતન્યાહુએ ઈરાનને ચેતવણી આપી
નેતન્યાહુએ ઈરાનને ચેતવણી આપતા કહ્યું, જો તમે અમારા પર હુમલો કરશો તો અમે તમારા પર હુમલો કરીશું. જો જરૂર પડે તો ઈઝરાયેલ સમગ્ર મધ્ય પૂર્વ સુધી પહોંચી શકે છે. તેમણે ગાઝા અને લેબનોન પરના હુમલાઓને યોગ્ય ઠેરવ્યા છે. તેમણે કહ્યું કે જ્યાં સુધી હિઝબુલ્લાહ યુદ્ધનો માર્ગ અપનાવવાનું ચાલુ રાખશે ત્યાં સુધી ઈઝરાયેલ પાસે આ ખતરાનો સામનો કરવા સિવાય કોઈ વિકલ્પ રહેશે નહીં.

કયા દેશો લીલા રંગમાં છે?
નેતન્યાહુના ગ્રીન મેપમાં બે દેશોની એન્ટ્રી આશ્ચર્યજનક હતી. એક સાઉદી અરેબિયા અને બીજું ઇજિપ્ત. જો કે ગયા વર્ષે ઓક્ટોબરમાં જ અમેરિકાના હસ્તક્ષેપથી બંને દેશો વચ્ચે શાંતિ સમજૂતી થઈ હતી. તે જ સમયે ભારત અને ઇઝરાયેલ વચ્ચેની નિકટતા બધા જાણે છે. પીએમ મોદીના શાસનમાં બંને દેશો વચ્ચેના સંબંધો વધુ મજબૂત બન્યા છે. જોકે, ભારત પેલેસ્ટાઈનની આંતરરાષ્ટ્રીય માન્યતાનું સમર્થક રહ્યું છે. તે જ સમયે, ઇજિપ્ત અને ઇઝરાયેલ સંરક્ષણ અને ઉર્જા વચ્ચે ઊંડા સંબંધો ધરાવે છે. જોકે, તેણે ગાઝા પર ઈઝરાયેલના હુમલાને ક્યારેય યોગ્ય ઠેરવ્યો નથી.

Most Popular

To Top