National

જયપુરથી 139 મુસાફરોને લઈ અયોધ્યા આવેલા એર ઈન્ડિયાના વિમાનમાં બોમ્બ હોવાની સૂચના

અયોધ્યા એરપોર્ટ પર ઉતરતી એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટમાં બોમ્બ હોવાની માહિતી મળ્યા બાદ ભાગદોડ મચી ગઈ છે. તંત્ર દ્વારા અહીં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. ફ્લાઇટમાં 139 મુસાફરો સવાર હતા જેમને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. એરપોર્ટ ઓથોરિટીના જણાવ્યા અનુસાર જયપુરથી ટેકઓફ થયા બાદ પ્લેનમાં બોમ્બ હોવાનો મેસેજ મળ્યો હતો. અયોધ્યામાં ઉતર્યા બાદ સીઆઈએસએફના જવાનોએ ફ્લાઈટનો કબજો લઈ લીધો હતો. હાલ ફ્લાઈટની અંદર ચેકિંગ ચાલી રહ્યું છે.

એરપોર્ટ પ્રશાસનને પહેલાં જો બોમ્બ હોવાની માહિતી મળી ગઈ હતી જેને કારણે ફ્લાઈટ લેન્ડ થાય તે પહેલાંજ પ્રશાસને તૈયારીઓ કરી લીધી હતી. એર ઈન્ડિયાની ફ્લાઈટ જયપુરથી રવાના થઈ હતી. અધિકારીઓના નિર્દેશ પર પ્લેનને અયોધ્યાના મહર્ષિ વાલ્મિકી એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવ્યું છે. કમિશનર, એસએસપી અને એસપી સિટી સહિત સુરક્ષા વિભાગના અધિકારીઓ સ્થળ પર તપાસ કરી રહ્યા છે. સીએમઓ ડો.સંજય જૈન પણ એરપોર્ટ પર હાજર છે જેથી કોઈને ઈમરજન્સી સારવાર માટે કોઈ તકલીફ ન પડે. 24 કલાકની અંદર એર ઈન્ડિયાના પ્લેનમાં બીજા બોમ્બની ધમકી મળી છે.

આ ફ્લાઈટમાં મુસાફરી કરી રહેલા જયપુરના અભિષેકે જણાવ્યું કે એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટમાં 139 મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા. ફ્લાઇટ 12.25 વાગ્યે ઉપડવાની હતી પરંતુ તે 10 મિનિટ મોડી પડી હતી. અમે લગભગ 2 વાગ્યે અયોધ્યા પહોંચ્યા. આ પછી અમને લગભગ 30 મિનિટ સુધી નીચે ઉતરવાની મંજૂરી આપવામાં આવી ન હતી. અમને અંદર રાખવામાં આવ્યા હતા. અમે સમજી શક્યા નહીં કે શું થયું? ક્રૂ સ્ટાફ વધુ કહી શકે તેવી સ્થિતિમાં ન હતો. આ ફ્લાઇટમાં 70% મુસાફરોની ઉંમર 50 વર્ષથી વધુ હતી. અંદર બેસીને તેમને ગૂંગળામણ થવા લાગી હતી. આ અંગે મુસાફરોએ ફરિયાદો શરૂ કરી હતી.

અભિષેકે કહ્યું કે અચાનક CISF જવાનોએ અમારી ફ્લાઈટને ઘેરી લીધી. કેટલાક સૈનિકો અંદર આવ્યા અને પછી અમને કતારમાં નીચે ઉતારવામાં આવ્યા. અમારો સામાન ફ્લાઈટની અંદર જ રહી ગયો હતો. અમને લગભગ 200 મીટર દૂર એરસ્ટ્રીપ પર જ બેસાડવામાં આવ્યા હતા. લોકો ટર્મિનલ તરફ જવા માંગતા હતા પરંતુ તેમને અટકાવવામાં આવ્યા હતા. 2.30 કલાકથી મુસાફરો ત્યાં હાજર છે. આ ફ્લાઈટમાં મુસાફરી કરતી મહિલાઓ, બાળકો અને વૃદ્ધોને મુશ્કેલી પડી હતી. બધા ડરી ગયા. તેમને ઘરે જવાની પણ પરવાનગી આપવામાં આવી ન હતી. સત્તાધીશો પણ કંઈ જણાવતા ન હતા. સૈનિકોએ પહેલા તેમને 3 ફૂટના અંતરે ઊભા કર્યા. કેટલાક લોકોની શોધખોળ પણ કરવામાં આવી હતી.

ત્યાં ખૂબ તડકો હતો ઉપરથી લોકોને દિવાલની મદદથી ત્યાંજ જમીન પર બેસાડી દેવાયા. અમે પ્લેન પણ જોઈ શકતા હતા. ત્યાં સર્ચ ઓપરેશન ચલાવી રહેલી ટીમ ફ્લાઈટની સંપૂર્ણ તપાસ કરી રહી છે. એરપોર્ટના એમડી વિનોદ કુમારે કહ્યું કે અમારા સ્ટાફને એક મેસેજ મળ્યો હતો જેમાં બોમ્બ હોવાની માહિતી હતી. ફ્લાઈટને આઈસોલેટ કરવામાં આવી છે. મુસાફરો અને માલસામાનનું ચેકિંગ ચાલી રહ્યું છે પરંતુ હજુ સુધી બોમ્બ મળ્યો નથી.

Most Popular

To Top