નવી દિલ્હી (New Delhi): સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે (Defense Minister Rajnath Singh) સોમવારે સંસદમાં કહ્યું કે સેના પાસે હાલમાં 11 રાફેલ વિમાન છે. માર્ચ સુધીમાં આ આંકડો વધીને 17 થઈ જશે. આ વિમાનની સંપૂર્ણ બેચ આવતા વર્ષે એપ્રિલ સુધીમાં દેશમાં પહોંચી જશે. તેઓ ભાજપના સાંસદ મહેશ પોદ્દારના પ્રશ્નના જવાબ આપી રહ્યા હતા. ભારતીય વાયુસેનાના અધિકારીઓએ જણાવ્યું છે કે 27 જાન્યુઆરીની રાત્રે 3 રાફેલ ફાઇટર પ્લેન (Rafale fighter plane) ફ્રાન્સથી ભારત માટે ઉડાન ભરી રહ્યા હતા. આ 3 જેટ સાથે અત્યાર સુધીમાં 11 રાફેલ વિમાનને કાફલામાં ઉમેરવામાં આવ્યા છે. રાફેલ વિમાનોની આ ત્રીજી બેચ ભારતને પ્રાપ્ત થઇ છે.
![](https://images.news18.com/ibnlive/uploads/2019/10/Rajnath-Singh-Performs-Shastra-Puja-of-Rafale-Fighter-Jet-7.jpg?impolicy=website&width=400&height=0)
તેમણે કહ્યું કે ફ્રાન્સના ઇસ્ટ્રેટ્સ એર બેઝ પરથી ઉડાન ભર્યા પછી વિમાન 7,000 કિલોમીટરથી વધુની મુસાફરી કરીને ભારત પહોંચ્યું હતું અને ફ્લાઇટ દરમિયાન માર્ગમાં રિફ્યુઅલ કરવામાં આવ્યું હતું. આ રાફેલ ફાઇટર વિમાન ફ્રેન્ચ કંપની ડસૉ એવિએશન દ્વારા બનાવવામાં આવ્યું છે.
આ અગાઉ 29 જુલાઈ 2020 ના રોજ ભારતને 5 રાફેલ વિમાનની પ્રથમ બેચ મળી હતી. ગયા વર્ષે 10 સપ્ટેમ્બરના રોજ તેઓને અંબાલા એર બેઝ પર 17 ‘ગોલ્ડન એરો’ સ્ક્વોડમાં સામેલ કરવામાં આવ્યા હતા. આ પછી 4 નવેમ્બર 2020 ના રોજ 3 રાફેલ ફાઇટર જેટની બીજી બેચ ભારત આવી હતી. ભારતે ફ્રાન્સ સાથે રૂ .59,000 કરોડના ખર્ચે 36 રાફેલ જેટ ખરીદવાના કરાર પર હસ્તાક્ષર કર્યા છે.
![](https://img.theweek.in/content/dam/week/news/india/2019/september/rajnath-rafale-pti081019.jpg)
જણાવી દઇએ કે ચીન સાથે સરહડીય સંઘર્ષ પછી ભારતે પોતાની સૈન્ય ક્ષમતમાં વધારો કરવામાં કોઇ કસર બાકી રાખી નથી. ભારતે હાલમાં પોતાના ત્રણેય સૈન્યોને સક્ષમ કર્યા છે કે તેઓ ગમે તે સમયે ચીનના હુમલા માટે તૈયાર રહે અને આ સિવાય ભારત ચીનને પણ એ સંદેશ આપી દાવા માંગે છે કે ભારત કોઇપણ ક્ષેત્રે પાછળ રહેશે નહીં. રાફેલની વાત કરીએ તો રાફેલ નવીનતમ શસ્ત્રો, સુધારેલા સેન્સર અને સંપૂર્ણ સંકલિત આર્કિટેક્ચરથી સજ્જ છે.
તે ઓમ્ની-રોલ વિમાન છે. આનો અર્થ એ કે તે એક સાથે ઓછામાં ઓછા ચાર મિશન પર કાર્ય કરી શકે છે. આ ઉપરાંત આ ફાઇટર જેટમાં હેમર મિસાઇલો પણ છે. તે મીટિઅર પિંડ, એસસીએએલપી અને મીકા જેવી વિઝ્યુઅલ રેન્જ મિસાઇલોથી (visual range missile) પણ સજ્જ હશે તે દૂરથી આવતા લક્ષ્યોને પણ જોઈ શકે છે.
![](https://gujaratmitra.in/wp-content/uploads/2022/04/gujaratmitraDOTin-Copy.png)