Entertainment

સંજય કપૂરની વસિયત માટે અભિનેત્રી કરિશ્મા કપૂરના સંતાનોની અરજી પર હાઈકોર્ટમાં ભારે ડ્રામા

દિલ્હી હાઈકોર્ટે કરિશ્મા કપૂરના પૂર્વ પતિ અને સ્વર્ગસ્થ સંજય કપૂરની હાલની પત્ની પ્રિયા કપૂરને મિલકત વિવાદ કેસમાં સમન્સ જારી કર્યું છે. સુનાવણી દરમિયાન પ્રિયા કપૂરના વકીલે કરિશ્મા કપૂરનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે સંજય કપૂરથી અલગ થયા પછી તે છેલ્લાં 15 વર્ષથી ક્યાંય દેખાઈ નથી. દરમિયાન દિલ્હી હાઈકોર્ટે સંજય કપૂરની પત્નીને મિલકતોની યાદી રજૂ કરવા કહ્યું છે. હવે આ કેસની આગામી સુનાવણી 9 ઓકટોબરે થશે.

બોલિવૂડ અભિનેત્રી કરિશ્મા કપૂરના બાળકોએ પિતા સંજય કપૂરની મિલકતમાં હિસ્સો મેળવવા માટે દિલ્હી હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે. દિલ્હી હાઈકોર્ટમાં બાળકો તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ મહેશ જેઠમલાણીએ કહ્યું, હવે કેસ દાખલ કરવામાં આવશે. તેમને સંજય કપૂરની અંગત સંપત્તિ વિશે થોડી વધુ માહિતી એકત્રિત કરવાની રહેશે. કેસની આગામી સુનાવણી હવે 9 ઓકટોબરે થવાની છે.

કોર્ટ પ્રિયા કપૂરને એમ પણ પૂછ્યું કે તે કરિશ્માના બાળકોને વસિયતનામાની નકલ આપવામાં કેમ ખચકાટ અનુભવે છે. ન્યાયાધીશે ટિપ્પણી કરી મને સમજાતું નથી કે તમારે બાળકોને વસિયતનામાની નકલ કેમ ન આપવી જોઈએ. અલબત્ત, તે જાહેર ન કરવાનો કરાર હોઈ શકે છે. અમે ગોપનીયતા ક્લબ પણ બનાવી શકીએ છીએ. અમે બૌદ્ધિક સંપદાના કેસોમાં નિયમિતપણે આ કરીએ છીએ.

મિલકત વિવાદની સુનાવણીમાં, દિલ્હી હાઈકોર્ટે પત્ની પ્રિયા કપૂરને સંજયની મિલકતોની યાદી દાખલ કરવા કહ્યું છે. જોકે, જસ્ટિસ જ્યોતિ સિંહની બેન્ચે સંજયની મિલકતો પર યથાસ્થિતિ જાળવવા માટે તાત્કાલિક આદેશ આપવાનો ઇનકાર કર્યો છે.

પ્રિયા વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ રાજીવ નૈય્યરે દલીલ કરી હતી કે દાવો જાળવવા યોગ્ય નથી અને વધુમાં કહ્યું હતું કે દાવો દાખલ કરવાના છ દિવસ પહેલા, બંને બાળકોને ટ્રસ્ટ તરફથી રૂ. 1,900 કરોડની સંપત્તિ આપવામાં આવી હતી. સંજયની માતા રાની કપૂરે પણ વસિયતનામાની માન્યતા પર પ્રશ્ન ઉઠાવ્યો હતો. રાનીના વકીલે કહ્યું, “આ ખૂબ જ ખોટું છે. રૂ. 10,000 કરોડની મિલકત મારી હોવી જોઈતી હતી. હું 80 વર્ષનો છું.

દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન, પ્રિયા કપૂરના વકીલ રાજીવ નાયરે જણાવ્યું હતું કે સંજય કપૂરનું મૃત્યુ પોલો રમતી વખતે થયું હતું. પ્રિયા કપૂર તરફથી દલીલ કરતા, તેમના વકીલ નાયરે કોર્ટને કહ્યું, એવું નથી કે આ લોકો રસ્તા પર આવ્યા છે. હું એક વિધવા છું જેને છ વર્ષનું બાળક છે. આ લોકો 15 વર્ષથી ક્યાંય દેખાતા નહોતા.

કોર્ટે નિર્દેશ આપ્યો કે બે અઠવાડિયામાં લેખિત નિવેદનો દાખલ કરવામાં આવે અને ત્યારબાદ એક અઠવાડિયામાં જવાબ આપવામાં આવે. આ કેસમાં સમન્સ જારી કરવામાં આવ્યા છે અને વચગાળાની રાહત માટેની અરજી પર નોટિસ પણ આપવામાં આવી છે. કોર્ટે પ્રિયા સચદેવ કપૂરને તેમની બધી જંગમ અને સ્થાવર મિલકતોની સંપૂર્ણ યાદી રજૂ કરવાનો પણ નિર્દેશ આપ્યો છે.

કરિશ્મા કપૂર અને સંજય કપૂરના લગ્ન 2003 થી 2016 સુધી 13 વર્ષ સુધી થયા હતા ત્યાર બાદ તેમના છૂટાછેડા થઈ ગયા. તેમને એક પુત્ર અને એક પુત્રી છે. બાળકોએ તેમની માતા દ્વારા દલીલ કરી છે કે આ વર્ષે જૂનમાં યુનાઇટેડ કિંગડમમાં તેમના પિતાના અચાનક મૃત્યુ પછી પ્રિયા કપૂરે તેમને સંજય કપૂરની મિલકતથી ખોટી રીતે વંચિત રાખ્યા છે.

દાવામાં પ્રિયા કપૂર તેના સગીર પુત્ર તેની માતા રાની કપૂર અને વસિયતનામાના કથિત અમલકર્તા શ્રદ્ધા સુરી મારવાહનું નામ પ્રતિવાદી તરીકે છે. વિવાદનું મુખ્ય કેન્દ્ર ર૧ માર્ચ, ૨૦૨પ ના રોજનું વસિયતનામું છે, જે કથિત રીતે સંજય કપૂરની સંપૂર્ણ અંગત મિલકત પ્રિયા કપૂરને વારસામાં આપે છે.

Most Popular

To Top