National

જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં મોટો માર્ગ અકસ્માત, કાર ખીણમાં પડતાં 5 બાળકો સહિત 8નાં મોત

જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં એક જોરદાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. માર્ગ અકસ્માતમાં 8 લોકોના મોત થયા છે. મૃતકોમાં પાંચ બાળકોનો પણ સમાવેશ થાય છે. આ અકસ્માત દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના કોકરનાગના ડાકસુમ વિસ્તાર પાસે થયો હતો. જ્યાં કાર ખાડામાં પડતાં તમામ આઠ લોકોના મોત થયા હતા. 

કાર જમ્મુના કિશ્તવાડથી આવી રહી હતી
પોલીસે જણાવ્યું કે રજીસ્ટ્રેશન નંબર JK03H9017 ધરાવતું સુમો વાહન જમ્મુ ક્ષેત્રના કિશ્તવાડથી આવી રહ્યું હતું. તે કાબુ ગુમાવી દેતા ડક્સુમ પાસે રોડ પર ખાડામાં ખાબકી હતી. આ અકસ્માતમાં 5 બાળકો, બે મહિલા અને એક પુરુષ પોલીસ સહિત 8 લોકોના મોત થયા હતા. 

પોલીસે કેસની તપાસ શરૂ કરી
અકસ્માત બાદ પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃતદેહોને બહાર કાઢ્યા હતા. આ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસે જણાવ્યું કે અકસ્માતના કારણો શું હતા? આની ખાતરી કરવામાં આવી રહી છે. અકસ્માત બાદ કાર સંપૂર્ણ ક્ષતિગ્રસ્ત થઈ ગઈ છે.  

આ અકસ્માત વિશે વધુ વિગતો આપતા પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે પોલીસકર્મી ઇમ્તિયાઝ અહેમદ તેમના પાંચ બાળકો અને બે મહિલાઓ સાથે કારમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે કિશ્તવાડ-અનંતનાગ રોડ પર અરાશાન જગ્યાએ તેમનો અકસ્માત થયો હતો. આ પછી વાહન ખાઈમાં પડી ગયું હતું. મૃતક ઇમ્તિયાઝ કિશ્તવાડથી માડવા કિશ્તવાડમાં તેના ઘરે આવી રહ્યા હતા જ્યાં તે પોલીસ ડ્યુટી પર તૈનાત હતા. 

તમને જણાવી દઈએ કે આ પહેલા સોમવારે મધ્ય કાશ્મીરના ગંદેરબલ જિલ્લામાં ઝોઝિલા પાસ પર એક માર્ગ અકસ્માત થયો હતો. બેંગલુરુના ત્રણ પ્રવાસીઓની કાર ઊંડી ખીણમાં પડતાં તેમનાં મોત થયાં હતાં. આ અકસ્માતમાં એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો.

 

Most Popular

To Top