National

હિજાબ પહેરવાની જીદે ચઢેલી વિદ્યાર્થીનીઓને ઝટકો, કર્ણાટક હાઈકોર્ટે કહ્યું..

કર્ણાટક: (Karnataka) કર્ણાટકની શાળાઓ (Schools) અને કોલેજોમાં (College) વિદ્યાર્થીનીઓના (Students) હિજાબ (Hijab) પહેરવાના વિવાદ (Controversy) પર આજે પણ હાઈકોર્ટમાં (High court) કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. કોર્ટે આ કેસની સુનાવણી (Hearing) સોમવાર સુધી મુલતવી રાખી છે. આ સાથે કોર્ટે મહત્વની ટીપ્પણી કરી છે કે વિદ્યાર્થીઓ શાળા-કોલેજોમાંથી ધાર્મિક ડ્રેસનો આગ્રહ ન રાખી શકે. મુખ્ય ન્યાયાધીશ રિતુ રાજ અવસ્થીએ કહ્યું કે શાળા અને કોલેજો તાત્કાલિક ખોલવી જોઈએ અને શિક્ષણ (Education) જરૂરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આગામી સુનાવણી સોમવારે બપોરે 2.30 કલાકે થવાની છે અને કોર્ટ તરફથી કોઈપણ નિર્ણય આવી શકે છે.

વિદ્યાર્થીનીઓના વકીલોએ કહ્યું, કોઈ કાયદામાં પ્રતિબંધની વાત નથી
કેસની સુનાવણી દરમિયાન, હિજાબ પહેરવાની માંગ કરનાર વિદ્યાર્થિનીઓના વકીલ સંજય હેગડેએ કહ્યું કે યુનિફોર્મને (Uniform) લઈને કર્ણાટક એજ્યુકેશન એક્ટમાં કંઈ નથી. “કર્ણાટક એજ્યુકેશન એક્ટમાં ગણવેશને લઈને કોઈ વિશેષ જોગવાઈ નથી,” . તેણે એમ પણ કહ્યું કે હિજાબ ઇસ્લામનો એક ભાગ છે અને તેને શાળા અને કોલેજો દ્વારા મંજૂરી (Permission) આપવામાં આવતી નથી. તેમણે કહ્યું કે આ અંગે જલ્દી નિર્ણય (Decision) લેવાની જરૂર છે જેથી વિદ્યાર્થીઓના અભ્યાસને અસર ન થાય કારણ કે માર્ચમાં જ તેમની પરીક્ષાઓ યોજાવાની છે.

સરકારે કહ્યું, હિજાબ અને ભગવામાં પ્રવેશ માટે પરવાનગી આપી શકાય નહીં
સરકાર તરફથી હાજર રહેલા એટર્ની જનરલે કહ્યું કે, શાળા કે કોલેજોમાં ડ્રેસ કોડનું પાલન કરવું જોઈએ. આ પહેલા બુધવારે જસ્ટિસ કૃષ્ણા દીક્ષિતની કોર્ટે આ મામલાને મોટી બેંચ સમક્ષ રિફર કર્યો હતો. આજે સુનાવણીમાં ચીફ જસ્ટિસ રિતુ રાજ અવસ્થી, જસ્ટિસ કૃષ્ણા દીક્ષિત અને જેએમ ખાજી હાજર રહ્યા હતા. એટર્ની જનરલે કહ્યું કે સ્ટુડન્ટ્સને સ્કાર્ફ કે હિજાબ કે કેસરી ગમચા સાથે પ્રવેશવાની મંજૂરી આપી શકાય નહીં. આ સારી સ્થિતિ નહીં હોય. વિદ્યાર્થીઓએ યુનિફોર્મ કોડ સાથે શાળાઓમાં આવવાનું રહેશે.

દોઢ મહિનામાં પરીક્ષા યોજાવાની છે, ઝડપથી ઉકેલ શોધો
યુવતીઓ તરફથી હાજર રહેલા વકીલે કહ્યું કે અમે નથી ઈચ્છતા કે શાળા અને કોલેજોમાં કોઈ પણ પ્રકારનો અલગતાવાદ હોય. તેમણે કહ્યું કે હવે પરીક્ષાને માત્ર દોઢ મહિનો જ બાકી છે. તેથી, આ વિવાદનો ઉકેલ લાવવો જરૂરી છે. આ મામલાની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે કહ્યું કે અમે વિચાર કરી રહ્યા છીએ કે હિજાબ પહેરવું એ મૂળભૂત અધિકારના દાયરામાં આવે છે કે નહીં. આ ઉપરાંત, અમે એ પણ વિચારી રહ્યા છીએ કે શું હિજાબ પહેરવું એ ધર્મનું પાલન કરવાનો આવશ્યક ભાગ છે કે નહીં. કોર્ટે હિજાબ વિવાદની સુનાવણી દરમિયાન મીડિયાને દરેક ટિપ્પણીની જાણ ન કરવાનો નિર્દેશ પણ આપ્યો હતો. કોર્ટે કહ્યું કે મીડિયાએ અંતિમ આદેશની રાહ જોવી જોઈએ.

Most Popular

To Top