Gujarat

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ, જળાશયો પાણીથી ભરાયા, ઉમરગામમાં 16 ઇંચ વરસાદ

ગાંધીનગર: દક્ષિણ ગુજરાત બાદ હવે સૌરાષ્ટ્ર (Saurashtra) પંથકમાં ભારે વરસાદ (Rain) થયો છે. જેનાલ પગલે જળાશયો તેમજ ડેમમાં નવા પાણીની આવક થવા પામી છે. એકલા ગીર સોમનાથ અને જુનાગઢમાં (Junagadh) આજે ભારે વરસાદ થયો છે. જુનાગઢના માંગરોળમાં 7 ઈંચ અને માળિયામાં સાડા છ ઈંચ ઈંચ જેટલો વરસાદ થયો છે. આગામી 5મી સપ્ટે. સુધી રાજયભરમાં ભારે વરસાદની ચેતવણી હવામાન વિભાગ દ્વ્રારા આપવામા આવી છે. ગીર પંથકમાં પડી રહેલ ભારે વરસાદના પગલે તાલાલા ગીર પંથકની હિરણ નદીમાં ઘોડાપુર આવેલ જયારે અનેક નદી-નાળાઓમાં વરસાદના પાણી ઘસમસતા વહેતા જોવા મળતા હતા. છેલ્લા 24 કલાકમાં આભ ફાટવાના કારણે એકલા ઉમરગામમાં 16 ઈંચ વરસાદ થયો છે.

આજે સાંજ સુધીમાં રાજયમાં 181 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ થયો છે. જેમાં 44 તાલુકાઓ એવા છે કે જેમાં 1થી 7 ઈંચ જેટલો વરસાદ થયો છે. માંગરોળ અને માળિયા ઉપરાંત તાલાલામાં સાડા પાંચ ઈંચ , ઉનામાં 5 ઈંચ , ખંભાળિયામાં 4 ઈંચ , કલ્યાણ પુરમાં 4 ઈંચ , ગીર ગઢડામાં 4 ઈંચ , વેરાવળમાં 4 ઈંચ , ગોંડલમાં પોણા પાંચ ઈંચ , જામકંડોરણામાં 3 ઈંચ , સુત્રાપાડામાં પોણા ત્રણ ઈંચ , કોડિનારમાં અઢી ઈંચથી વધારે , કેશોદમાં અઢી ઈંચ , ઉમરગામમાં અઢી ઈઁચથી વધારે , લોધીકામાં સવા બે ઈંચ , માણાવદરમાં સવા બે ઈંચ , કોટડા સાંગાણીમાં બે ઈંચ , ચોટીલામા પોણા બે ઈંચ , કુતીયાણામા પોણા બે ઈંચ , ભાવનગરના મહુવામાં પોણા બે ઈંચ , ગાંધીનગરના કલોલમાં પોણા બે ઈંચ , વાપીમાં પોણા બે ઈંચ વરસાદ થયો છે. ગીર સોમનાથ જિલ્લાના કેટલાક તાલુકાઓમાં અવિરત મેઘસવારીએ ચાર કલાકમાં સાબલેઘાર વરસાદ વરસાવી દેતા ખેડૂતો ખુશખુશાલ થઇ ગયા છે. 

માંગરોળ અને માળિયામાં નદીઓમાં પૂરાના પાણી આવ્યા છે. ખાસ કરીને નદીઓમાં નવા નીર આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં આભ ફાટવાના કારણે એકલા ઉમરગામમાં 16 ઈંચ વરસાદ થયો છે. જયારે વાપીમાં 8 ઈંચ અને જુનાગઢના માગરોળમાં 5 ઈંચ વરસાદ થયો છે. કપરાડામાં 3 ઈંચ જેટલો જ વરસાદ થયો હતો. એકંદરે રાજયમાં 228 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ થયો હતો. જેમાં 71 તાલુકાઓમાં 1થી 16 ઈંચ જેટલો વરસાદ થયો હતો.

રાજ્યમાં ચાલુ સિઝનમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 45.85 ટકા નોંધાયો છે. જેમાં કચ્છ રીજીયનમાં 32.96 ટકા, ઉત્તર ગુજરાતમાં 36.15 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 42.48 ટકા, સૌરાષ્ટ્રમાં 40.67 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 55.47 ટકા જેટલો સરેરાશ વરસાદ થયો છે. છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશહાલીનો માહોલ જોવા મળ્યો હતો.

Most Popular

To Top