Gujarat

ગુજરાતમાં ગુલિયન બેરી સિન્ડ્રોમએ મચાવ્યો હાહાકાર, લોકોમાં ફરી ડરનો માહોલ

ગુજરાતમાં એક ભયંકર રોગએ હાહાકાર મચાવ્યો છે. આ ફાટી નીકળેલ રોગનું નામ ગુલિયન બેરી સિન્ડ્રોમ (GBS) છે. અત્યાર સુઘીમાં આ રોગના ઝપેટામાં ગોધરા, આણંદ, પંચમહાલ અને ધારાપુર ગામના લોકો આવી ચુક્યા છે. પંચમહાલમાં GBS સિન્ડ્રોમના લગભગ 10 કેસ મળી આવ્યા છે. જેથી આરોગ્ય વિભાગ દોડતું થઇ ગયું છે. ગોધરા શહેરમાં કોરોના કેસો થોડા ઓછા થયા હતા ત્યાં આ જીબીએસ નામના જીવલેણ રોગે દસ્તક દીધી છે. આ રોગના કેસો સામે આવતા લોકોમાં ફરી ડરનો માહોલ જોવા મળ્યો છે.

જાણો રોગ ગુલિયન બેરી સિન્ડ્રોમ શું છે?
મળતી માહિતી મુજબ ગુલિયન બેરી સિન્ડ્રોમએ એક દુર્લભ, સ્વયંપ્રતિરક્ષા ડિસઓર્ડર છે. જેમાં વ્યક્તિની પોતાની રોગપ્રતિકારક શક્તિ ચેતાને નુકસાન પહોંચાડે છે. જેના કારણે સ્નાયુઓમાં કયારેક નબળાઈ આવી જાય છે તો ક્યારેક લકવો મારી જાય છે. જીબીએસ એવો રોગ છે કે જેની અસર અઠવાડિયામાં સમાપ્ત થઈ જાય તો ઘણીવાર ઘણા વર્ષો સુધી રહે છે. મોટાભાગના લોકો થોડા જ સમયમાં સંપૂર્ણ સ્વસ્થ થઈ જાય છે. પરંતુ કેટલાકને કાયમી ચેતા નુકસાન થાય છે. રોગપ્રતિકારક તંત્ર પરિઘવર્તી નર્વસ સિસ્ટમ (PNS) માં તંદુરસ્ત ચેતા કોષો પર હુમલો કરે છે. આ નબળાઇ, નિષ્ક્રિયતા અને કળતર તરફ દોરી જાય છે. તે આખરે લકવોમાં પરિણમી શકે છે. ગુઇલેન-બેરે સિન્ડ્રોમને એક્યુટ ઇન્ફ્લેમેટરી ડિમાયેલીનેટિંગ પોલીરાડીક્યુલોન્યુરોપથી (AIDP) પણ કહેવાય છે. તે એક ન્યુરોલોજીકલ ડિસઓર્ડર છે જેમાં શરીરની રોગપ્રતિકારક શક્તિ પેરિફેરલ નર્વસ સિસ્ટમ, મગજ અને કરોડરજ્જુની બહારના ચેતાતંત્રના ભાગ પર હુમલો કરે છે. જીબીએસની પુનરાવૃત્તિ દુર્લભ છે. પરંતુ એસિમ્પટમેટિક સમયગાળાના ઘણા વર્ષો પછી થઈ શકે છે અને તે વધુ ગંભીર ક્લિનિકલ અભિવ્યક્તિઓ સાથે સંકળાયેલ છે.

રોગના લક્ષણો
આંગળીઓ, અંગૂઠા, પગની ઘૂંટી અથવા કાંડામાં પ્રિકલિંગ, પિન અને સોયની સંવેદના
પગમાં નબળાઈ જે તમારા શરીરના ઉપરના ભાગમાં ફેલાય છે
અસ્થિર ચાલવું અથવા ચાલવામાં અથવા સીડી ચઢવામાં અસમર્થતા
બોલવામાં, ચાવવા અથવા ગળી જવા સહિત ચહેરાની હલનચલન કરવામાં મુશ્કેલી
બેવડી દ્રષ્ટિ અથવા આંખો ખસેડવામાં અસમર્થતા
મૂત્રાશયના નિયંત્રણ અથવા આંતરડાના કાર્યમાં મુશ્કેલી
ઝડપી હૃદયદર
લો અથવા હાઈ બ્લડ પ્રેશર
શ્વાસ લેવામાં તકલીફ આ તમામ તેના લક્ષણો છે

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. મીનાક્ષી ચૌહાણએ જણાવ્યું છે કે અત્યાર સુધીમાં 12 વ્યક્તિઓ જીબીએસનો ભોગ બની ચૂકયા છે. આ સાથે તેઓએ જણાવ્યું કે હજી સુધી આ રોગ તરફ દોરી જતા ચોક્કસ કારણ શોધી શક્યા નથી. આ ઉપરાત ભુરાવાવ અને તેની આસપાસના વિસ્તારોમાં સર્વેલન્સ શરૂ કરવામાં આવ્યું છે.

Most Popular

To Top