Gujarat

કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના પરિજનોને સહાય માટે 15 નવેમ્બરથી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે

ગાંધીનગર: (Gandhinagar) તાજેતરમાં સુપ્રીમ કોર્ટે (Supreme Court) કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને આર્થિક સહાય (Relief) ચૂકવવા સરકારને તાકીદ કરી હતી. જોકે તે માટે કોરોનાથી મૃત્યુ પામેલાનું પ્રમાણપત્ર હોવું જરૂરી હોવાથી ગુજરાત સરકાર દ્વારા કોરોનાથી મૃત્યું પામેલા લોકોના પરિવારજનોને સર્ટિફિકેટ આપવા માટે એક્શન પ્લાન સહિત સમિતિ તૈયાર કરવામાં આવી છે, સહાય  મેળવવા માટે 15 નવેમ્બરથી (November) ફોર્મ (Form) ભરવાની પ્રક્રિયા શરૂ થશે. કોરોનાથી મૃત્યુ પામેલા નાગરિકોનાં પરિવારજનોને વળતર આપવાની જાહેરાત કરાયા બાદ એવો મુદ્દો ઊઠ્યો હતો કે ઘણા મૃતકનાં સર્ટિફિકેટમાં મોતનું કારણ કોરોના લખવામાં નહોતું આવ્યું. આ મામલે હોબાળો થતાં હવે ગુજરાત સરકાર દ્વારા કોરોનાથી મૃત્યુ પામેલા લોકોનાં પરિવારજનોને સર્ટિફિકેટ (Certificate) આપવા માટે સમિતિ તૈયાર કરવામાં આવી છે.

ગુજરાતમાં (Gujarat) કોરોનામાં મોત થયેલા પરિવારજનોને વળતર આપવાની જાહેરાત કરાયા ભારે વિવાદ જોવા મળ્યો હતો. અનેક એવા કિસ્સાઓમાં મૃતકના સર્ટિફિકેટમાં મોતનું સાચું કારણ કોરોના લખવામાં આવ્યું નહોતું. જના કારણે સહાય મેળવવા માટે તેઓ ખરા ઉતરતા નહોતા. પરંતુ આખરે આ વિવાદનો અંત આવ્યો છે. સર્ટીફિકેટ આપવા માટે નિમાયેલી સમિતિ દ્વારા વિવિધ મુદ્દાઓ ચકાસ્યા બાદ દર્દીનું મોત કોરોનાથી થયું છે કે નહીં એના પર ખરાઈ કરીને સર્ટિફિકેટ આપવામાં આપવામાં આવશે. 15 નવેમ્બરથી આ ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે.

રાજ્યમાં કોરોનાથી મૃત્યું પામેલા પરિવારજનોને એક સર્ટિફિકેટ આપવામાં આવશે. મહાનગરપાલિકા અને જિલ્લામાં મૃત્યુવિષયક ખાતરી માટે રચેલી સમિતી  સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી છે. જો તમારા પરિવારમાં કોરોનાથી કોઈ સભ્યનું મોત થયું હશે, પરંતુ સર્ટિફિકેટમાં કોરોના નહીં પરંતુ અન્ય કોઈ બિમારી દર્શાવાઈ હોય તો તેના પરિવારજનો 15 નવેમ્બરથી ફોર્મ ભરીને અરજી કરી શકશે. દર્દીઓનાં પરિવારજનોને મૃત્યુના કારણ સાથેનું પ્રમાણપત્ર આપવામાં આવશે, જેમાં મહાનગરપાલિકા અને એ સિવાય જિલ્લા વિસ્તારમાં મૃત્યુવિષયક ખાતરી સમિતિની આરોગ્ય વિભાગ દ્વારા રચના કરવામાં આવી છે.

જણાવી દઈએ કે તાજેતરમાં સુપ્રીમ કોર્ટે કોરોનામાં મૃત્યુ પામેલા નાગરિકોનાં પરિવારજનોને 50 હજાર રૂપિયા સહાય આપવા જણાવ્યું છે. પરંતુ તેના માટે ડેથ સર્ટિફિકેટમાં કોરોના લખેલું હોવું ફરજિયાત છે. આ વાતને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ દ્વારા એક ઠરાવ કરવામાં આવ્યો છે. જેના ફોર્મની પ્રક્રિયા 15મીથી શરૂ થશે.

Most Popular

To Top