બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાને કોર્ટના તિરસ્કાર સંબંધિત કેસમાં 6 મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે. સ્થાનિક મીડિયા રિપોર્ટમાં આ માહિતી સામે આવી છે. ધ ઢાકા ટ્રિબ્યુનના અહેવાલ મુજબ, આ નિર્ણય જસ્ટિસ મોહમ્મદ ગુલામ મુર્તુઝા મોઝુમદારની અધ્યક્ષતામાં ઈન્ટરનેશનલ ક્રાઈમ ટ્રિબ્યુનલ-1 ની ત્રણ સભ્યોની બેન્ચ દ્વારા આપવામાં આવ્યો છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ટ્રિબ્યુનલે ગાયબંધાના ગોવિંદગંજના રહેવાસી શકીલ અકંદ બુલબુલને પણ આ જ કેસમાં બે મહિનાની જેલની સજા ફટકારી છે. લગભગ એક વર્ષ પહેલા દેશ છોડીને ભાગી ગયેલા આવામી લીગના નેતા શેખ હસીનાને કોઈ કેસમાં સજા ફટકારવામાં આવી હોય તેવું આ પ્રથમ વખત બન્યું છે. બાંગ્લાદેશમાં રાષ્ટ્રવ્યાપી વિરોધ પ્રદર્શનો અને અવામી લીગ સરકારના પતન પછી શેખ હસીના ઓગસ્ટ 2024 માં ભારત આવ્યા હતા. ત્યારથી તેઓ નવી દિલ્હીમાં રહે છે.