Gujarat

અમદાવાદ એરપોર્ટ પર ટેકઓફ પહેલાં ઇન્ડિગોની ફ્લાઇટમાં આગ લાગી, પાઇલટે મે ડે કોલ મોકલ્યો

બુધવારે અમદાવાદથી દીવ જઈ રહેલી ઇન્ડિગો ફ્લાઇટ ATR76 ના એન્જિનમાં ટેકઓફ પહેલા જ આગ લાગી હતી. ફ્લાઇટમાં 60 મુસાફરો હતા. વિમાન રનવે પર ટેકઓફની તૈયારી કરી રહ્યું હતું, ત્યારે પાયલોટે એર ટ્રાફિક કંટ્રોલ (ATC) ને ઇમરજન્સી ‘મેડે’ કોલ મોકલ્યો અને ફ્લાઇટ બંધ કરી દેવામાં આવી હતી.

અમદાવાદથી દીવ જઈ રહેલી ઇન્ડિગો ફ્લાઈટમાં આ અકસ્માત સવારે 11 વાગ્યાની આસપાસ થયો હતો. આ પછી તમામ મુસાફરોને તાત્કાલિક સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટનાની તપાસ ચાલી રહી છે. આના એક દિવસ પહેલા મંગળવારે દિલ્હી એરપોર્ટ પર એર ઇન્ડિયાના વિમાનમાં આગ લાગી ગઈ હતી.

ગઈકાલે એર ઇન્ડિયાના વિમાનમાં આગ લાગી હતી
ગઈકાલે એટલે કે મંગળવારે હોંગકોંગથી દિલ્હી આવી રહેલી એર ઇન્ડિયા ફ્લાઇટ-315 માં લેન્ડિંગ પછી તરત જ સહાયક પાવર યુનિટ (APU) યુનિટમાં આગ લાગી હતી. સહાયક પાવર યુનિટ વિમાનના પાછળના ભાગમાં તેની પૂંછડીમાં હોય છે. ત્યાં આગ લાગવાથી વિમાનને નુકસાન થઈ શકે છે.

આ પહેલા મંગળવારે દિલ્હીથી કોલકાતા જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI2403 માં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. આ સમાચાર મળ્યા પછી દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી વિમાનને ઉડાન ભરતા અટકાવવામાં આવ્યું હતું. અહેવાલો અનુસાર વિમાન 160 મુસાફરો સાથે રનવે પર હતું અને ઉડાન ભરવાનું હતું ત્યારબાદ ખામી જોવા મળી હતી.

Most Popular

To Top