SURAT

સુરત અઠવાલાઇન્સ પાસે આવેલી જલારામ ડેરીમાં આગ,જાનહાનિ ટળી

surat ; સુરત શહેરમાં અઠવાલાઇન્સ ( athvalines) વિસ્તારમાં આદર્શ સોસાયટીમાં આવેલી જલારામ ડેરીમાં મધરાત્રે અચાનક આગ ( aag) ફાટી નીકળતા સ્થાનિક લોકોમાં ભય નો માહોલ જોવા મળ્યો હતો. જોકે ઘટનાની જાણ બાદ ફાયરના જવાનોએ તાત્કાલિક દોડીને આગ કાબૂમાં લેતા લોકોએ રાહતનો દમ લીધો હતો.આગ શોર્ટ સર્કિટના ( short sarkit) કારણે લાહી હોવાનું હાલ અનુમાન છે.

ફાયર વિભાગે જણાવ્યું હતું કે ઘટના રાત્રીના 11:40ની હતી. આદર્શ સોસાયટીમાં આવેલી જલારામ ડેરીના બંધ શટરમાંથી ધુમાડો નીકળતો હોવાની જાણ થયા બાદ માન દરવાજા ( maan darwaja) અને મજુરા ફાયરસ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. તાત્કાલિક ડેરીનું શટર ખોલી આગ પર કાબૂ મેળવી લીધો હતો.

આવી જ એક બીજી આગની ઘટના સુરતના કતારગામ દરવાજા ખાતે એક મકાનમાં આગ લાગતા દોડધામ મચી ગઇ હતી. જીલાની બ્રિજના નીચેના મકાનમાં આગ લાગી હતી. મકાનમાં કોઈ પણ વ્યક્તિ ન હોવાનું જાણવા મળ્યું છે. જોકે, બાજુના મકાનમાં રહેતા એક વૃદ્ધ સહિત ચાર મહિલાઓને ફાયર વિભાગ દ્વારા બચાવવામાં આવી હતી.

કતારગામ દરવાજા ખાતે આવેલા નાસીર નગરમાં આવેલા બે માળના મકાનમાં એકાએક આગ લાગતાં આસપાસના લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો જે મકાનમાં આગ લાગી હતી તે મકાન માલિક જે છે તે ઘરની પાછળના ભાગે રહેતા હતા અને ભાડુઆત મકાન બંધ કરીને બહાર ગામ ગયો હતો. તે દરમિયાન આ આગનો બનાવ બનતા આસપાસના રહીશોએ ફાયર વિભાગને જાણ કરી હતી. મકાનની બાજુના મકાનમાં રહેતા એક વૃદ્ધ મહિલાને બહાર કાઢવામાં આવ્યા હતા તેમજ તેમના ઉપરના માળે રહેતા અન્ય ત્રણ જેટલી મહિલાઓને પણ બહાર કાઢવામાં આવી હતી.

Most Popular

To Top