National

મરઘીને દાણા ન નાંખવાની બાબતમાં 8 વર્ષની લાડકવાઈની પિતાએ ક્રૂરતા પૂર્વક હત્યા કરી અને…

હરિયાણા: હરિયાણાના સોનીપતના ગન્નૌર પ્રદેશના ગામ બજાના ખુર્દ ગામમાં એક પિતા (Father) જ પોતાની પુત્રીનો (Daughter) હત્યારો (Killer) બન્યો. પુત્રીને લાકડી વડે ક્રૂરતાથી માર માર્યો હતો. ત્યારબાદ પિતા બાળકીને રૂમમાં બંધ કરીને ફરાર થઈ ગયો હતો. જ્યારે પાડોશીએ બાળકીની ચીસો સાંભળી ત્યારે તેઓ બાળકીની મદદ અર્થે આવ્યા હતા. તેઓએ માસૂમને રૂમમાંથી બહાર કાઢી પરંતુ બાળકીનું મોત થયું હતું. હત્યા (Murder) કર્યા બાદ આરોપી પિતા ફરાર થઈ ગયો હતો. પોલીસે (Police) પાડોશીના નિવેદન પર હત્યાનો ગુનો નોંધ્યો છે.

હત્યા કરવા પાછળનું કારણ
આ આરોપી પિતાનું નામ જય ભગવાન છે. જેમની પત્નીનું બે વર્ષ પહેલા જ અવસાન થઈ ગયું હતું અને હાલમાં તે તેના ત્રણ બાળકો સાથે રહે છે. ખુબદુ ચોકીના ઈન્ચાર્જ મનજીતના જણાવ્યા અનુસાર, જય ભગવાન પોતાના ઘરમાં મરઘા રાખે છે. જય ભગવાને શનિવારે ઘરની બહાર ગયા હતા ત્યારે તેને તેની 8 વર્ષની પુત્રી તમન્નાને મરઘીઓને ખોરાક અને પાણી આપવાનું કહ્યું હતું. નિર્દોષ તમન્ના રમતમાં મરઘીઓને ખવડાવવાનું અને પાણી આપવાનું ભૂલી ગઈ હતી. આ વાતની ખબર પિતાને થતાં તે ગુસ્સે ભરી ગયો અને તમન્નાના હાથ-પગ દોરડાથી બાંધી દીધા અને લાકડી વડે માર મારવા લાગ્યો.

હત્યા કર્યા બાદ આરોપી ફરાર થઈ ગયો હતો
બાળકીની ચીસો સાંભળીને જ્યારે તેનો પાડોશી જેનું નામ કપિલ છે તે સ્થળ પર પહોંચ્યો ત્યારે જય ભગવાને તેની પુત્રીને માર માર્યા બાદ તેને એક રૂમમાં બંધ કરી દીધી અને સ્થળ પરથી ભાગી ગયો. કપિલે અન્ય પડોશીઓની મદદથી રૂમનો દરવાજો ખોલ્યો તો તમન્ના મરી ગઈ હતી. તેણે આ અંગે પોલીસને જાણ કરી હતી. માહિતી બાદ પોલીસ પહોંચી અને મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. પોલીસે એફએસએલની ટીમને સ્થળ પર બોલાવીને પુરાવા પણ એકત્ર કર્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીની શોધખોળ ચાલુ છે. તેની ધરપકડ બાદ સત્ય જાણવા મળશે.

Most Popular

To Top