Business

વલસાડ દાહોદ વચ્ચે એક્સપ્રેસ ટ્રેનનો પ્રારંભ, જાણો શિડ્યુલ

લાંબા સમય બાદ દક્ષિણ ગુજરાતના મુસાફરોને એક મોટી ભેંટ મળી છે. વલસાડ રેલવે સ્ટેશન પરથી એક એક્સપ્રેસ ટ્રેન દોડતી થઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજથી વલસાડ દાહોદ વચ્ચે એક્સપ્રેસ ટ્રેનનો પ્રારંભ કરાવ્યો છે. આ ટ્રેનથી દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના લોકોને મોટો ફાયદો મળશે. આ ટ્રેન આવતીકાલે તા. 27 મેથી નિયમિત દોડશે.

વલસાડ અને દાહોદ સ્ટેશનો વચ્ચે એક્સપ્રેસ ટ્રેન શરૂ થતાં દક્ષિણ ગુજરાત અને દાહોદ વચ્ચેની કનેક્ટિવિટીમાં નોંધપાત્ર સુધારો થયો છે. આ સુધારેલી રેલ કનેક્ટિવિટી વલસાડની આસપાસના ઔદ્યોગિક વિસ્તારો સુધી સીધી પહોંચ મળશે. દાહોદ અને નજીકના આદિવાસી વિસ્તારોમાં રોજગારીની તકોમાં વધારો થશે તેવી અપેક્ષા છે, જેનાથી વધુમાં તે પ્રાદેશિક પર્યટનને પ્રોત્સાહન આપે છે.

ગુજરાતમાં સરળ વ્યાપારિક ગતિવિધિઓને સુવિધા પ્રદાન કરશે અને મુસાફરોને મુસાફરીનો એક સુરક્ષિત કાર્યક્ષમ અને સમયસર મુસાફરી પૂરી પાડે છે.

જાણો ટ્રેનનું શિડ્યુલ
વલસાડ-દાહોદ એક્સપ્રેસ ટ્રેન 27 મેથી શરૂ થશે. આ ટ્રેન દરરોજ દોડશે. ટ્રેન નં. 19011 વલસાડ – દાહોદ એક્સપ્રેસ વલસાડથી 05.15 વાગ્યે ઉપડશે અને તે જ દિવસે 11.05 વાગ્યે દાહોદ પહોંચશે. તેવી જ રીતે પરત મુસાફરીમાં ટ્રેન નં. 19012 દાહોદ – વલસાડ એક્સપ્રેસ દાહોદથી 11.55 વાગ્યે ઉપડશે અને તે જ દિવસે 20.05 વાગ્યે વલસાડ પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં બીલીમોરા, નવસારી, સુરત, અંકલેશ્વર, ભરૂચ, મિયાગામ કરજણ, વડોદરા, સમલાયા, ડેરોલ, ગોધરા, પીપલોદ અને લીમખેડા સ્ટેશન પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી ચેરકાર, સેકન્ડ ક્લાસ રિઝર્વ્ડ અને સેકન્ડ ક્લાસના જનરલ કોચ છે.

Most Popular

To Top