Madhya Gujarat

આત્મનિર્ભર ભારતની કલ્પનાને સાકાર કરવા ઇજનેરી કોલેજો મહત્વનું યોગદાન આપે

આણંદ : વલ્લભ વિદ્યાનગર ખાતે ચારૂતર વિદ્યામંડળ તેમજ સીવીએમ યુનિવર્સિટી દ્વારા વિંધ્યય-ગિરનાર  છાત્રાલયનું બી.વી.એમ.ના ભૂતપૂર્વ વિદ્યાર્થી તેમજ સામાજિક ક્ષેત્રે આગવું સ્થાનન ધરાવતા લાર્સન એન્ડ્ ટુ્બ્રો ગૃપના ચેરમેન અને પદ્મ વિભૂષણ એ. એમ. નાયક દ્વારા નિર્મિત એ. એમ. નાયક હાઉસ ઓફ સ્કોલર્સ તરીકે લોકાર્પણ કર્યું હતું.

આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે, લાર્સન એન્ડ ટુબ્રો દ્વારા તોપો બનાવીને ભારતીય લશ્કરને સોંપવામાં આવી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારત અંતર્ગત હવે મિસાઇલ ક્ષેત્રે પણ ઝંપાલવવા સુચન કર્યું હતું. ચારૂતર વિદ્યામંડળ સહિત રાજયની ઇજનેરી શૈક્ષણિક સંસ્થામાં ઇજનેરી ક્ષેત્રે તૈયાર થતાં વિદ્યાર્થીઓ અને ફલેગશીપ જેવી મોટી-મોટી કંપનીઓ દ્વારા ગુજરાતમાં સ્થપાઇ રહેલા ઉદ્યોગોને કારણે આજે ગુજરાત ઓટોમોબાઇલ ક્ષેત્રે મોટું બની ચુકયું હોવાનું જણાવ્યું હતું.

વધુમાં જણાવ્યું હતું કે, આઝાદી પહેલા સરદાર પટેલે દર વર્ષે નર્મદા નદી ઓવરફલો થઇને ભરૂચને અને ખેડૂતોની જમીનને નુકશાન થતું હતું અને કિંમતી પાણી દરિયામાં વહી જતું હતું. તેનો સદઉપયોગ થાય તેની કલ્પના કરી હતી. સરદાર પટેલની આ કલ્પના સરદાર સરોવર ડેમ સાકાર થવાની સાથે આયોજન, વ્યવસ્થા અને દીર્ઘદૃષ્ટિ કારણે આજે ચાર કરોડ ગુજરાતીઓ અને પશુઓને તેનો લાભ મળી રહ્યો હોવાનું કહ્યું હતું.

આ પ્રસંગે સીવીએમ યુનિવર્સિટીના પ્રમુખ ભીખુભાઇ પટેલે લાર્સન એન્ડઆ ટુર્બો ગૃપના ચેરમેન અને પદ્મ વિભૂષણ એ. એમ. નાયકને માનદ ડોક્ટરેટ ડિગ્રી એનાયત કરવાની જાહેરાત કરી હતી. લાર્સન એન્ડ ટુર્બો ગ્રુપના ચેરમેન અને પદ્મ વિભૂષણ એ. એમ. નાયકએ સામાજિક ઉત્થાન માટે નાણાં નહીં હૃ્દયની ભાવના જોઇએ.

તેમ જણાવી તેમની કંપનીના પરોપકારી પ્રોજેકટસ અને સમાજને ખાસ કરીને ગ્રામિણ વિસ્તા રોમાં શિક્ષણને ટેકો આપવા પર ભાર મૂકયો હતો. આ પ્રસંગે મંડળના માનદ સહમંત્રી મેહુલભાઇ પટેલે ચારૂતર વિદ્યામંડળની વિકાસગાથા વર્ણવી હતી. જયારે અંતમાં મંત્રી એસ. જી. પટેલએ આભારવિધિ કરી હતી. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક પંકજભાઇ દેસાઇ, આણંદ જિલ્લા ભાજપના પ્રમુખ વિપુલભાઇ પટેલ, ચારૂસેટ યુનિવર્સિટીના પ્રમુખ સુરેન્દ્રભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય સંજયભાઈ પટેલ  વિગેરે હાજર રહ્યાં હતાં.

Most Popular

To Top