Comments

માનવ મસ્તિષ્ઠના વિચાર વિનાનું શિક્ષણ અધૂરું રહે છે

ભારત સરકારે આઝાદીના અમૃત વર્ષે નવી શૌક્ષણિક નિતિને સાંકળી શાળા-મહાશાળામાં ભણતર માટે આધારભૂત બદલાવની જાહેરાત કરી છે. બાળ કેળવણીકાર ગીજુભાઈ જેને યુનિવર્સિટી ગણાવતા એવા મા-બાપ પાસે જ બાળક ૪ વર્ષ સુધી રહેશે. તે પછી પ થી ૧૧ વર્ષનું પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં અને પુસ્તકનાં ભાર વિના રાખવા નિતિ વિષયક જાહેરાત કરી છે. જે આવકારદાઈ છે. પરંતુ હવી શૈક્ષણિક નિતિમાં શાળાના સમય બાબતે કોઈ ક્રિયા નિર્દેશ નથી!

શિક્ષણની જે ઈમારત ઉપર ધ્વજ લહેરાયો છે તેના પાયામાં રહેલ વિદ્યાર્થીઓ અને તેનાં મસ્તિષ્કની સ્થિતિનો પણ વિચાર થવો રહ્યો. કારણ? કારણ કે હેનરી ફોર્ડ હેલ્થકેર ઈન્સ્ટીટ્યુટમાં સ્લીપ એક્સ્પર્ટ થોમસ રોથના તાજેતરના સંશોધન અહેવાલમાં જણાવાયું છે કે ‘માણસ માટે ઉંઘના છેલ્લા સાડા ત્રણ કલાક સહુથી વધુ તાજગી પૂર્ણ હોય છે અને આપણા સહુનો અનુભવ પણ એવો રહ્યો છે કે વહેલી પરોઢની ઘસઘસાટ ઉંઘ પછીની સવાર આનંદકાયક અહેસાસ આપી જાય છે.

યુનિવર્સિટી ઓફ સાઉથ એશીયાના મનોવિજ્ઞાનીઓ જેને બ્રેઈન વેવ ડેમેજની સ્થિતિ કહે છે તેને આપણી સમજમાં કાચી ઉંઘ તરીકે જાણીએ જ છીએ. આવી અધુરી નિદ્રા એટલે રાત્રે સાડા અગિયારે પથારીમાં સુવા જતા વિદ્યાર્થીન સવારે ૮ પહેલા જગાડી દઈએ અને શાળા માટે તૈયાર કરી વાહનમાં બેસાડી દેવામાં આવે છે. ત્યારે મસ્તિષ્કમાં રહેલ માહિતિને જ્ઞાન (કાયમી યાદદાસ્ત)માં સ્ટોર કરવાનો પ્રવાહ ખોરવાઈ જાય છે. માનવ મસ્તિષ્કની ઘડીયાળનું મનોવિજ્ઞાન જણાવે છે કે આઠ કલાકની ઉંઘ પછી બ્રેકાફાસ્ટ થકી જ મસ્તિષ્કની ગ્રંથીઓ એક્ટીવ થાય છે. અને બાળક નવી માહિતિ શિખવા-સ્વીકારવા તત્પર બને છે. શાળા એ માહિતિની આપલેનું સબળ માધ્યમ છે અને નવી શિક્ષણ વ્યવસ્થામાં તાલીમના માળખાની સારસંભાળ લેવા કાળજી દાખવેલ છે પરંતુ શાળાની ચાર દીવાલો વચ્ચે રહેતા વિદ્યાર્થીના મન પ્રત્યે કાળજી લેવાઈ નથી. જે શિક્ષાણ વ્યવસ્થાને બાજ બનાવી રહે છે.

સવારની અધૂરી ઉંઘમાં બાળકને જગાડી પોષણ યુક્ત આહાર આપ્યા વીના જ સવારે ૬ વાગ્યે શાળા માટે ઘકેલી આપનાર મા-બાપ માટે ચેતવાણી રૂપ સંશોધન કરતા પ્રેન્સેન્વેલીયાના મનોવિજ્ઞાની લોરેન ગુડી જણાવે છે કે “કિશોરાવસ્થામાં શરીરની સ્થૂળતા અને ડાયાબીટીસના લક્ષણોનું એક મુખ્ય કારણ બ્રેઈન અને લીવરના સંયોજનની ખામી છે. માનવ મસ્તિષ્કની આંતરિક ઘડીયાળ ખોરવાઈ જવાના લીધે વિદ્યાર્થીઓની ગ્રહણશક્તિ અને વિષયલક્ષી સ્થિરતા ઘટી જાય છે. સાથોસાથે શારિરીક ક્ષમતા પણ નબળી પડતી જાય છે!”

શિક્ષણનાં માધ્યમથી નવી પેઢી જવાબદાર બને અને નવી શિક્ષણ નિતિના સહારે યુવાનો આત્મનિર્ભર બને તેવા સુચારું ઉદ્દેશ્યને આગળ કરવા માળખા સાથે શાળા સમયને જોડવું હવે અનિવાર્ય બન્યું છે. શાળામાં બાળકોના બદલાતા વર્તન અંગે જવાહરલાલ નેહરુ યુનિવસિટીનાં શિક્ષણ વિભાગનાં ૮૦૦ શિક્ષકો સાથેના ઈન્ટર્યુથી ફલિત થાય છે કે નવી પેઢીમાં જોવા મળતી અ-સહિષ્ણુતાનું કારણ પ્રવર્તમાન સામાજીક વ્યવસ્થા છે.

શહેરીકરણ અને નાના થરો વચ્ચે માતા-પિતાને મળવા જોઈતા એકાંતનો અભાવ, અસહ્ય મોંઘવારી વચ્ચે જરૂરીયાતોને પહોંચી વળવા માતા-પિતા બંનેની આર્થિક પ્રવૃત્તિઓ, અંગ્રેજી માધ્યમના બજારુ પ્રભાવ સાથે પ્રચલિત મોંઘી શિક્ષણ વ્યવસ્થા, શહેરીકરણ અને ગીચ આવાસોનાં લીધે કિશોર અવસ્થાના શારીરીક વિકાસ માટે અનિવાર્ય મેદાની રમતો અને સર્જનાત્મક પ્રવૃત્તિઓનો ઘટતો અવકાશ, સાથોસાથ ટી.વી. મોબાઇલ જેવી ડીજીટલ એરેસ્ટની પરિસ્થિતિ વચ્ચે બાળકો સાથેનાં મા-બાપનાં પ્રત્યક્ષ આદાન-પ્રદાનના સમયમાં ઘટાડા પ્રકારની સામાજીક સ્થિતિનાં લીધે આજે ભારત જેવા ૮૦૦૦ વર્ષની સાંસ્કૃતિક ધરોહર ધરાવતા દેશમાં પણ સામાજીક મૂલ્યોનું માળખું તુટી રહ્યાનું સ્પષ્ટ રીતે જેવા મળે છે. નવી પેઢી વારસામાં સંસ્કાર ગ્રહણ કરી રહી નથી. તે પ્રત્યે પણ વર્તન વિજ્ઞાનીઓને અવલોકનો નજર અંદાજ કરી શકાય તેમ નથી.

આવી પ્રતિકુળ પરિસ્થિતિમાં શાળાઓ બાળ વિકાસનો મહામુલો સમય બગાડ કરનાર સાબિત થઈ રહી છે. પરિણામે શિક્ષણમાં થતું આર્થિક રોકાણ પરીણામલક્ષી બની રહ્યું નથી. એટલું જ નહીં પણ ગ્રેજયુએટ કે પોસ્ટ ગ્રેજયુએશન જ સ્વયં લાયકાત રહેતી તેના સાથે સરકારે જી.પી.એસ.સી., યુ.પી.એસ.સી. ટાટ પ્રકારે આખી આલ્ફાબેટ સમાય જાય તેવી-તેવી પરીક્ષાઓ વિદ્યાર્થીઓ પાસ કરે તેવી ટાઈમપાસ વ્યવસ્થાઓ વિકસાવવી પડી છે.તેથી ઉપાયે હવે શાળાઓનો સમય સવારે ૧૦ થી ૩ નો કરવો રહ્યો. દેશનાં આઈ.ટી. હબ ગણાતા બેંગલુરૂ અને હૈદરાબાદમાં આ પ્રયોગ થકી દેશના અન્ય રાજ્યો કરતા કર્ણાટક- આંધ્ર અને કેરલમાં વિદ્યાર્થીઓનાં આઈ.ક્યુમાં સરેરાશ ૭%નો વધારો જોવા મળ્યો છે અને રાષ્ટ્ર સંચાલનમાં સર્વોચ્ય ભૂમિકા ભજવતાં આઈ.એ.એસ., આઈ.પી.એસ., આઈ.સી.સી., આઈ.એફ. એસ. પ્રકારની ઉચ્ચ સેવાઓમાં દક્ષીણ ભારત પ્રભાવશાળી રહ્યાનું પ્રમાણ જોવા મળે છે.

નવી શિક્ષણ નિતિમાં શાળા સમયને સુધારવાનું ભલે રહી ગયુ હોય પરંતુ શાળા સંચાલકો પોતાની શાળા પુરતો પ્રયોગત્મક રીતે પણ એક ફેરફાર કરતો શાળાનાં સવારનાં ૧૦નાં સમય પહેલા વિદ્યાર્થીને પુરતી ઉઘનો મનોવૈજ્ઞાનિક ઉપહાર અને પોષક આહારનો ટેકો મળશે તેમ શાળા સમય પછી પ્રકૃતિ અને પરિવાર સાથે વધુ ઉર્જાવાન સમય પસાર કરી શકશે. કદાચ વહીવટી પ્રતિકુળતા સપાટી ઉપર દેખાશે. પરંતુ બાળકના હિત ખાતર શિક્ષણ સંસ્થાઓ વિચારે તેવી પ્રાર્થના છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top