ઝેરી કોલ્ડ્રિફ કફ સિરપ પીવાથી મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં 20 થી વધુ બાળકોના મોત થયા છે. મધ્યપ્રદેશ સહિત અનેક રાજ્યોમાં આ કફ સિરપ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ સિરપ બનાવતી તમિલનાડુ સ્થિત કંપની શ્રીસન ફાર્મા સામે વધુ એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે.
સોમવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ અનેક ફાર્મા સંબંધિત જગ્યાઓ પર દરોડા પાડ્યા હતા. જોકે, દરોડા અંગે વધુ વિગતો હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. એ નોંધવું જોઇએ કે શ્રીસન ફાર્મા કોલ્ડ્રિફ કફ સિરપનું ઉત્પાદન કરે છે.
કોડ્રિફ સિરપ કેસમાં કાર્યવાહી તેજ થઈ ગઈ છે. આજે તા. 13 ઓક્ટોબરને સોમવારે એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ED) એ શ્રીસન ફાર્મા સાથે જોડાયેલા પરિસરમાં દરોડા પાડ્યા હતા. આ ઝેરી કફ સિરપને કારણે મધ્યપ્રદેશમાં 20 થી વધુ બાળકોના મોત થયા હોવાના અહેવાલ છે. હાલમાં તપાસ ચાલુ છે. સિરપ બનાવતી કંપની શ્રીસન ફાર્માના માલિક જી. રંગનાથનની ધરપકડ કરવામાં આવી છે.
ચેન્નાઈ કોલ્ડરિફ્ટ કફ સિરપ કેસના સંદર્ભમાં ED એ PMLA હેઠળ તમિલનાડુની રાજધાની ચેન્નાઈમાં શ્રીસન ફાર્માના સાત સ્થળોએ દરોડા પાડ્યા છે. નોંધપાત્ર વાત એ છે કે, આ દરોડામાં તમિલનાડુ ડ્રગ કંટ્રોલ ઓફિસના ઉચ્ચ અધિકારીઓના રહેઠાણોનો પણ સમાવેશ થાય છે.
નોંધનીય છે કે કોલ્ડરિફ કફ સિરપ પીધા પછી મધ્યપ્રદેશમાં 22 બાળકોના મોત થયા છે. રાજસ્થાનમાં પણ આ સિરપ પીધા પછી બાળકોએ જીવ ગુમાવ્યો છે.
ઘણા રાજ્યોમાં કોલ્ડ્રિફ સીરપ પર પ્રતિબંધ
મધ્યપ્રદેશના છિંદવાડામાં, કોલ્ડરિફ કફ સિરપ ખાવાથી 20 થી વધુ બાળકોના મોત થયા. રાજ્ય સરકારે સાવચેતીના પગલા તરીકે, દવાના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો. ત્યારબાદ, રાજસ્થાન, ગુજરાત, પંજાબ, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ અને બંગાળ સહિત અનેક રાજ્યોમાં કોલ્ડરિફ કફ સિરપના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો.
ડોક્ટરોએ આપી આ સલાહ
મધ્યપ્રદેશમાં બનેલી આ ઘટનાએ લોકોને હચમચાવી નાખ્યા છે તે નોંધનીય છે. દરમિયાન, ડોકટરોએ જણાવ્યું છે કે બાળકોને પૂર્વ સલાહ વિના દવા આપવી ખતરનાક બની શકે છે. બાળરોગ ચિકિત્સકો સમજાવે છે કે સીરપ ખાવાથી લાળ પાતળી થાય છે, જેને નવજાત શિશુઓ બહાર કાઢી શકતા નથી. તબીબી સલાહ વિના નાના બાળકોને આવી દવાઓ આપવી નુકસાનકારક સાબિત થઈ શકે છે.