Gujarat

DNA મેચ થયા પછી પરિવારને – સગાને મૃતદેહ સોંપવામાં આવશે

DNA મેચિંગ પ્રક્રિયામાં ઓછામાં ઓછા ત્રણ દિવસ અથવા તેથી વધુ સમય લાગી શકે છે

વડોદરા: અમદાવાદ સિવિલ હોસ્પિટલ તંત્રે જણાવ્યું છે કે, પ્લેન દુર્ઘટનાના જે પ્રવાસી / હતભાગીનો મૃતદેહ અત્રે છે તે મૃતદેહ DNA મેચ થયા પછી પરિવારને – સગાને સોંપવામાં આવશે.

BJ મેડિકલ કોલેજના ગ્રાઉન્ડ ફ્લોર પર PSM વિભાગ પાસે આવેલા કસોટી ભવન ખાતે DNA સેમ્પલ લેવાની પ્રક્રિયા ચાલી રહી છે.
DNA સેમ્પલ લીધા મેચિંગ માટે લેબમાં મોકલવામાં આવશે
ઘટનાની ગંભીરતા અને મૃતદેહ સંદર્ભે હાલની પરિસ્થિતિ જોતા આ સમગ્ર DNA મેચિંગ પ્રક્રિયામાં ઓછામાં ઓછા ત્રણ દિવસ અથવા તેથી વધુ સમય લાગી શકે છે.

મૃતકોના સ્વજનો આ અંગેની વધુ માહિતી કંટ્રોલ રૂમના ફોન નંબર પરથી મેળવી શકશે.

6357373831

6357373841

પરિવારજનો માટે વિશેષ સગવડ

Most Popular

To Top