SURAT

GJ-05 અને GJ-19 નંબરવાળા વાહનોને આ બે ટોલનાકા પર ટોલમાંથી મુક્તિ આપવા માંગણી ઉઠી

સુરત જિલ્લાનાં કામરેજ ખોલવાડ ખાતે ને.હા.નંબર 48 પર અમદાવાદ થી મુંબઈ જતાં લેન પર બ્રિજ ક્ષતિજત હોવાથી રિપેરિંગ માટે સરકાર દ્વારા એક મહિનો બંધ કરીને વાહનોને ડાયવર્ઝન આપવા માટે કીમથી એના સુધીનો એક્ષપ્રેસ હાઇવે ખુલ્લો કરી દેવામાં આવ્યો છે અને તેની ઉપર ટોલટેક્ષ ઉઘરાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે.

અમદાવાદ થી મુંબઈ જતાં લેન પર બ્રિજ બંધ કરવાને કારણે સ્થાનિક નાગરિકો, ખેડૂતો અને નોકરીયાતો રોજ રોજનો મોટો ફેરાવો કરવો પડી રહ્યો છે તેમજ એક્ષપ્રેસ હાઇવે નું કામ હજી સુધી પૂર્ણ થયેલ નથી તેમ છતાં બ્રિજ રિપેરિંગના કામ માટે ડાયવર્ઝન કરી ખોલેલ અધૂરા એક્ષપ્રેસ હાઇવે પર કારના એક તરફ 95 રૂપિયા અને ટ્રક –બસના 325 રૂપિયા ટોલટેક્ષ સ્થાનિક વાહનચાલકો પાસે વસૂલ કરવામાં આવી રહ્યો છે. જેને કારણે સ્થાનિક નાગરિકોના એક બાજુ સમય અને બીજી બાય નાણાં ખોટી રીતે વ્યય થઈ રહ્યો છે.

આ મામલે પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી દર્શન નાયકે સુરત જિલ્લા કલેક્ટરને પત્ર લખ્યો છે. નાયકે લખ્યું છે કે, હાલમાં એક્ષપ્રેસ હાઇવે કામ પૂર્ણ થયું નથી અને ટોલટેક્ષ સ્થાનિક વાહન ચાલકો પાસે પણ પૂરેપૂરો વસૂલ કરવામાં આવી રહ્યો છે.

એક્ષપ્રેસ વે પરથી પસાર થનારા વાહન ચાલકો છે તેમણે કામરેજ ટોલનાકા ખાતે ટોલટેક્ષ આપ્યા બાદ પરત ફરતી સમયે ભાટિયા ટોલનાકા ખાતે પણ ટોલટેક્ષ ચુકવવો પડે તેમ છે. જે સ્થાનિક નાગરિકો સાથે અન્યાય થઈ રહ્યો હોય એવું લાગી રહ્યું છે.

સુરત જિલ્લાનાં કામરેજ ખોલવાડ ખાતે ને.હા.નંબર 48 પર અમદાવાદ થી મુંબઈ જતાં લેન પર બ્રિજ ક્ષતિજત હોવાથી રિપેરિંગ માટે એક મહિનો બંધ હોવાના કારણે એક્ષપ્રેસ હાઇવે પરથી સુરત જિલ્લાના જે સ્થાનિક GJ -19 અને GJ – 05 ના વાહન ચાલકો પસાર થઈ રહ્યાં તેમને સુરત જિલ્લામાં આવેલ કામરેજ અને ભાટિયા ટોલનાકા ખાતે ટોલટેક્ષમાંથી મુક્તિ આપવામાં આવે.

Most Popular

To Top