Business

દિલ્હી વિસ્ફોટ- વાસ્તવિક સમયના આધારે વ્યૂહરચનાઓને નવું રૂપ આપવાનો સમય

પારદર્શિતા એ ચોક્કસપણે નરેન્દ્ર મોદી સરકારની ઓળખ નથી. જ્યારે દેશવાસીઓને વિશ્વાસમાં લેવાની પૂરતી આવશ્યકતા હોય છે ત્યારે સરકારના સામાન્ય કાર્યમાં પણ આવું જ છે અને જ્યારે વાત ભારતની આઝાદીના પ્રતીક અને સ્વતંત્રતા દિવસ સમારોહનો મંચ દિલ્હીમાં લાલ કિલ્લાના ઉંબરે વિસ્ફોટ જેવી કટોકટીની પરિસ્થિતિઓની આવે છે, જે ભારતની સ્વતંત્રતા બને  છે, ત્યારે પારદર્શિતા શબ્દ અર્થહીન બની જાય છે. 13 નિર્દોષ લોકોના જીવ લેનારા આ જઘન્ય વિસ્ફોટોએ દિલ્હીને હચમચાવી નાખ્યું છે. આવું કેમ? કારણ કે, તેનાથી રાષ્ટ્રીય રાજધાનીમાં દાયકાઓથી ચાલી આવતી શાંતિ ભંગ થઈ ગઈ છે.

તેણે વડા પ્રધાન અને ગૃહ પ્રધાન સહિત સંબંધિત અધિકારીઓના એ દાવાઓ પર પણ ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે કે, આતંકવાદી ગતિવિધિઓ (કાશ્મીર પર ધ્યાન કેન્દ્રિત કરીને)ને દાબી દેવામાં આવી છે અને તેનાં તમામ સ્વરૂપોમાં આતંકવાદ છેલ્લા શ્વાસ લઈ રહ્યો છે. દિલ્હીના હૃદયમાં અને એ પણ લાલ કિલ્લા જેવા મજબૂત રાષ્ટ્રીય પ્રતીક પાસે આતંકવાદી હુમલો અને દિલ્હીમાં સત્તાના કેન્દ્રથી માંડ 20 કિલોમીટર દૂર રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર (એનસીઆર)માં લગભગ 2000 કિલોગ્રામ હાઇ-ગ્રેડ વિસ્ફોટકો મળી આવ્યા હોવાના ચિંતાજનક અહેવાલો, ચોક્કસપણે આ અધિકારીઓને ચિંતિત કરે છે અને તેમને મોટા-મોટા દાવાઓ કરવાને બદલે સમગ્ર પરિસ્થિતિનું વાસ્તવિક-સમય-આધારિત મૂલ્યાંકન કરવા મજબૂર કરે છે.

સક્ષમ અધિકારીઓના દાવા મુજબ, આ આતંકવાદી હુમલો, જે કાશ્મીર સાથે જોડાયેલો છે અને ‘દરબાર સ્થળાંતર’ (જમ્મુ શિયાળુ રાજધાની) થી કાશ્મીર (ઉનાળાની રાજધાની) અને તેનાથી વિપરીત છ મહિનાના ધોરણે રાજધાની સ્થળાંતર)ના છ વર્ષ પછી પુનઃસ્થાપન પછી થયો હતો, જે 5 ઓગસ્ટ, 2019 ના રોજ કલમ 370ને નાબૂદ કરવા સાથે સંબંધિત ઘટનાક્રમ હતો – શાસક સરકારની વિશ્વસનીયતા દાવ પર લગાવી દીધી છે.

મોદી સરકારને ફક્ત જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખ જ નહીં, પરંતુ રાષ્ટ્રીય સુરક્ષાને પણ નિયંત્રિત કરતી નીતિના સમગ્ર ક્ષેત્ર પર નવેસરથી વિચાર કરવો જોઈએ. અચૂક સુરક્ષા વ્યવસ્થા હોવા છતાં રાષ્ટ્રીય રાજધાની અને સત્તાનું કેન્દ્ર હોવાના નાતે દિલ્હી, પંજાબ, કાશ્મીર અથવા ઉત્તર-પૂર્વ કેન્દ્રિત આતંકવાદી જૂથો માટે હંમેશા સોફ્ટ-ટાર્ગેટ રહ્યું છે. આતંકવાદનું નવીનતમ કૃત્ય, કેન્દ્રીય મંત્રીમંડળે સત્તાના કેન્દ્રમાં ભારતની તાકાતને પડકારવા માટે જાહેર કર્યું છે. તેમાં કોઈ શંકા નથી કે આનાથી રાજકીય નેતૃત્વ અને સુરક્ષા તંત્ર તેનાં પરિણામો, ઉભરતા પડકારો અને પ્રતિરોધક વ્યૂહરચનાઓ વિશે વિચારવા માટે તૈયાર થયું હશે.

સૌથી મોટો પાઠ અને હકીકતમાં શાસક ભાજપ માટે આંખ ખોલનાર બાબત એ હોવી જોઈએ કે તેઓ તેમના રાજકીય એજન્ડાને રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત મુદ્દાઓ સાથે ન જોડે. રાજકીય એજન્ડા કે વૈચારિક મુદ્દાઓ મોટા ભાગે જમીની વાસ્તવિકતાઓ કે પરિસ્થિતિગત પડકારો સાથે સુસંગત હોતા નથી.

લાલ કિલ્લા વિસ્ફોટમાંથી સરકારે પહેલો બોધપાઠ એ લેવો જોઈએ કે, શાસક સરકારે ગંભીર મુદ્દાઓનો સામનો કરવા માટે તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ. આવા અભિગમ અપનાવવામાં પારદર્શિતા સૌથી જરૂરી છે, સાથેસાથે અટકળો અને અફવાઓને રોકવા માટે રાષ્ટ્રને વિશ્વાસમાં લેવો જોઈએ. સરકારના ઉચ્ચ પદસ્થ લોકો ‘સ્રોત આધારિત’ વાર્તાઓ લીક કરવામાં આશરો લે છે ત્યારે સમસ્યા વધુ જટિલ બને છે, જેમ કે વર્તમાનમાં થઈ રહ્યું છે. ખુલીને કેમ કહેવામાં આવી રહ્યું નથી? આ રાષ્ટ્રના હિતમાં છે. નહીંતર, અટકળો ગૂંચવણો પેદા કરી શકે છે અને ભારત વિરોધી શક્તિઓને ભરપૂર મોકો આપી શકે છે. વ્યાવસાયિક મજબૂરીઓ અને સમયમર્યાદા હોવા છતાં, ફક્ત સરકાર જ નહીં પરંતુ મીડિયાએ પણ આવી વાર્તાઓ ચલાવવાનો કે લખવાથી બચવું જોઈએ.

બીજો પાઠ એ છે કે, શક્ય હોય ત્યાં સુધી રાજકીય અને વૈચારિક એજન્ડાને રાષ્ટ્રીય એજન્ડાથી અલગ રાખવો જોઈએ. રાષ્ટ્રીય સુરક્ષા અને કાશ્મીર અને ઉત્તર-પૂર્વ જેવા તેના ઉપ-વિષયોને સંપૂર્ણપણે રાજકીય દૃષ્ટિકોણથી જોવા જોઈએ નહીં. મણિપુરમાં પ્રવર્તતી નવી પરિસ્થિતિ અને શાસક ભાજપ (કેન્દ્રમાં) દ્વારા રાજ્યમાં  પોતાની સરકાર ફરીથી સ્થાપિત કરવા માટે રાજકીય તોડજોડમાં લિપ્ત થવું એ એક અધ્યયનનો વિષય છે, જ્યારે લોકમત તેનાથી વિપરીત છે.

નરેન્દ્ર મોદી સરકાર 2019માં જમ્મુ અને કાશ્મીરની બંધારણીય સ્થિતિ બદલવા માટે ઉતાવળમાં રાજ્ય પુનર્ગઠન બિલ સંસદમાં લાવી ત્યારે પણ આવી જ ભાવના પ્રવર્તી હતી. સ્વતંત્ર ભારતમાં તેના પ્રકારના પ્રથમ ઘટનાક્રમમાં એક રાજ્યને કેન્દ્રશાસિત પ્રદેશમાં બદલી નાખવામાં આવ્યું હતું અને લોકોની પોતાની સ્થાનિક સરકાર પસંદ કરવાના અધિકાર સહિત તમામ લોકશાહી અધિકારો પર અંકુશ મૂકવામાં આવ્યો. મણિપુર હોય, જમ્મુ અને કાશ્મીર હોય કે લદ્દાખ, કોઈ પણ નીતિઘડતરના કેન્દ્રમાં જાહેર ભાવના રહેવી જોઈએ. આ ભાવનાને અવગણવી કે તેને દબાવવી હંમેશાં ખતરનાક પરિણામોથી ભરપૂર હોય છે. ભૂતકાળમાં પણ આવું જોવા મળ્યું છે અને દિલ્હી વિસ્ફોટ-2025 એ તે દિશામાં ચેતવણી છે.

ત્રીજો પાઠ અને તેમાં કંઈ નવું નથી, તે એ છે કે જમ્મુ અને કાશ્મીર જેવી પરિસ્થિતિઓમાં, સમસ્યાનાં બાહ્ય અને આંતરિક પરિમાણો, ભલે એકબીજા સાથે જોડાયેલાં છે, વાસ્તવિક સમયના આધારે જુદા જુદા દૃષ્ટિકોણથી જોવા જોઈએ. નહીં તો, ભારતનાં હિતોને પ્રતિકૂળ બાહ્ય તાકાતોના જાળમાં ફસાઈ જવાનો ભય છે. છેલ્લે અને ચોથો પાઠ એ છે કે, આતંકવાદના કોઈ પણ કૃત્યને ધર્મનાં ચશ્માંથી જોવું જોઈએ નહીં. આમ કરવાથી દેશની બહુ-સાંસ્કૃતિક અને બહુ-ધાર્મિક સંવાદિતાને નુકસાન થશે અને તેના દ્વારા ભારતવિરોધી શક્તિઓને એક પ્લેટફોર્મ મળશે.

જો લોકશાહી રીતે ચૂંટાયેલી સરકાર પાસે પોતાની ઉપલબ્ધિઓ પર બેસવા સિવાય કોઈ વિકલ્પ નથી, જો તે વાસ્તવિકતાઓ સાથે સુસંગત ન હોય. વાસ્તવિક સમય આધારિત મૂલ્યાંકન, સફળતા અને નિષ્ફળતા બંનેને સ્વીકારીને અને શાહમૃગ જેવી નીતિ અપનાવીને નહીં, આગળ વધવા માટે એક સકારાત્મક  રસ્તો હોવો જોઈએ. જવાબ હંમેશા આંકડાઓની ચાલાકીમાં રહેતો નથી, જેમાં વર્તમાન શાસક સરકાર માહિર છે, પરંતુ જમીની વાસ્તવિકતાને સ્વીકારીને અને તે મુજબ વ્યૂહરચનાઓને ફરીથી આકાર આપવાનો હોય છે.

બહુસાંસ્કૃતિક દિલ્હીમાં શહેરી શાંતિમાં ખલેલ સીધી આંખ ખોલનાર કારક હોવું જોઈએ. આતંકવાદી નેટવર્કનો પર્દાફાશ અને મોટા પ્રમાણમાં વિસ્ફોટકોની રિકવરીના દાવાઓને મજબૂત બનાવવા માટે અટકળો અને તેના પરિણામે પેદા થતા ભ્રમને ટાળવા માટે પારદર્શિતા જ મુખ્ય વિષય હોવો જોઈએ.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top