Gujarat

રાજ્યમાં 24 કલાકમાં કોરોનાનો એક જ કેસ ઘટ્યો, નવા 122 કેસ, 3ના મોત

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનો માત્ર એક કેસનો ઘટાડો નોંધાયો છે. જ્યારે રાજ્યમાં આજે નવા વધુ 122 કેસ નોંધાયા છે. તેવી જ રીતે વધુ ત્રણ દર્દીનું મૃત્યુ થતાં કુલ મૃત્યુઆંક 10,048 થયો છે. રાજ્યમાં આજે અમદાવાદ મનપા, સુરત મનપા અને જૂનાગઢ મનપામાં એક-એક દર્દીનું મૃત્યુ થવા પામ્યું છે. આજે 352 દર્દીઓ સાજા થતાં સજા થવાના દરમાં સતત વધારો થઈ સાજા થવાનો દર 98.31 ટકા થયો છે.

આમ અત્યાર સુધીમાં કુલ 8,09,201 દર્દીઓ સાજા થયા છે. આજે નવા 122 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ મનપા 19, સુરત મનપામાં 14, સુરત ગ્રામ્યમા 10, વડોદરા મનપામાં 11, આ સિવાય વડોદરા ગ્રામ્ય 10, ગીર સોમનાથ, કચ્છ અને વલસાડમાં 4-4, ભાવનગર ગ્રામ્ય, જૂનાગઢ મનપા, પોરબંદર, રાજકોટ ગ્રામ્યમાં 3-3 નવા કેસ સહિત રાજ્યમાં નવા 122 કેસ નોંધાયા હતા. રાજ્યમાં હાલમાં એક્ટિવ કેસોની સંખ્યામાં 3,883, થઈ છે. 23 દર્દીઓ વેન્ટિલેટર ઉપર છે, અને 3,860 દર્દીઓ સ્ટેબલ છે.

આજે 3,77,439 વ્યકિતઓને રસી આપવામાં આવી
હેલ્થ કેર વર્કસ અને ફંટ લાઈન વર્કસનો પ્રથમ ડોઝ 288, અને બીજો ડોઝ 20,569, 18 થી 45 વર્ષ સુધીના વ્યકિતઓનો પ્રથમ ડોઝ 2,19,584, બીજો ડોઝ 18,840, તેવી જ રીતે 45 વર્ષથી વધુ ઉંમરના પ્રથમ ડોઝ 50,992, બીજો ડોઝ 67,166, આમ કુલ 3,77,439 વ્યકિતઓને રસી પવામાં આવી હતી. અત્યાર સુધીમાં 2,46,38,142 વ્યકિતઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.

Most Popular

To Top