Gujarat

રાજ્યમાં કોરોના કાબુમાં આવી રહ્યો છે, નવા 1,561 કેસ: 22ના મોત

રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. મંગળવારે નવા 1,561 કેસ નોંધાયા હતા. રાજ્યમાં કુલ 22 દર્દીનું મૃત્યુ થયું છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક 9,855 થયા છે. બીજી તરફ મંગળવારે 4,569 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 7,71,860 દર્દીઓ સાજા થયા છે. મંગળવારે અમદાવાદ મનપામાં 5, સુરત મનપામાં 2, વડોદરા મનપામાં 2, વડોદરા ગ્રામ્યમાં 1, જામનગર મનપામાં 2, મહેસાણા, સુરત ગ્રામ્યમાં, રાજકોટ ગ્રામ્ય, જૂનાગઢ ગ્રામ્યમાં 1-1 મળી કુલ 22 દર્દીઓએ જીવ ગુમાવ્યાં છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાદ મનપામાં 256, સુરત મનપામાં 172, વડોદરા મનપામાં 172, રાજકોટ મનપામાં 86, ભાવનગર મનપામાં 13, ગાંધીનગર મનપામાં 11, જામનગર મનપામાં 41 અને જૂનાગઢ મનપામાં 22 કેસ નોંધાયા છે. જ્યારે સુરત ગ્રામ્યમાં 80, જામનગર ગ્રામ્યમાં 19, વલસાડમાં 25, મહેસાણામાં 24, વડોદરા ગ્રામ્યમાં 106, બનાસકાંઠામાં 19, અમરેલીમાં 42, આણંદમાં 25 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં હાલમાં એક્ટિવ કેસોની સંખ્યામાં 29,015 છે, વેન્ટિલેટર ઉપર 472 અને 28,543 દર્દીઓ સ્ટેબલ છે.

મંગળવારે 18 થી 45 વર્ષ સુધીના 1,10,205 વ્યક્તિઓને પ્રથમ ડોઝ, જ્યારે 45 વર્ષથી વધુ ઉંમરના 48,206 વ્યક્તિને પ્રથમ ડોઝ જ્યારે 45 વર્ષથી વધુ ઉંમરનાનાં 18,413 વ્યક્તિને બીજો ડોઝ, 4,480ને હેલ્થ કેર વર્કસ અને ફંટ લાઈન વર્કસનો પ્રથમ ડોઝ અને 5,489ને બીજો ડોઝ આપી કુલ 1,96,793 વ્યક્તિઓે રસી અપાઈ છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 1,72,91,413 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.

Most Popular

To Top