National

કોવેક્સિન ટ્રાયલ્સમાં નિષ્ફ્ળ: બ્રાઝિલે ભારત બાયોટેક સાથેનો કરાર સમાપ્ત કર્યો

બ્રાઝિલે (Brazil) ભારત બાયોટેક (bharat bio tech) સાથેનું કરાર (Contract) સમાપ્ત કર્યું છે. હૈદરાબાદ સ્થિત ભારતીય કંપની ભારત બાયોટેકે બ્રાઝિલની સરકાર સાથે કોવેક્સિનના 20 કરોડ ડોઝ સપ્લાય કરવાના કરાર પર હસ્તાક્ષર (Signature) કર્યા હતા, બ્રાઝિલના આરોગ્ય નિયામકે જણાવ્યું હતું કે ક્લિનિકલ ટ્રાયલ્સ (Clinical trials)માં કોવેક્સિનની સફળતાપૂર્વક પરીક્ષણ (Test) થઈ શક્યું નથી. આ પછી બ્રાઝિલે કરાર રદ કરવાનો નિર્ણય લીધો. 

બ્રાઝિલિયન ડ્રગમેકર્સ પ્રિસિસા મેડિમેન્ટ્સ અને એન્વિક્સિયા ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડનો ભારત બાયોટેક સાથે નિયમનકારી રજૂઆત, લાઇસન્સ, વિતરણ, વીમા અને તબક્કો III ના ક્લિનિકલ ટ્રાયલ્સના સંચાલન માટે સોદો હતો, પરંતુ ઘણા મુદ્દાઓ પર પહોંચ્યા બાદ કરાર સમાપ્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અને ક્લિનિકલ ટ્રાયલ્સ પાછળ રહી હતી. બ્રાઝિલના આરોગ્ય નિયામકે જણાવ્યું હતું કે ભારત બાયોટેકના કોવેક્સિન ક્લિનિકલ ટ્રાયલ્સમાં સફળ ન થયા પછી સરકારે આ પગલું ભર્યું છે.

બ્રાઝિલ તરફથી આગોતરી ચુકવણી નહીં થાય – ભારત બાયોટેક 

સૂત્રોના જણાવ્યા અનુસાર ડીલ રદ થયા પછી ભરત બાયોટેકે જણાવ્યું હતું કે બ્રાઝિલ તરફથી કંપનીને કોઈ આગોતરી ચુકવણી નથી થઈ અને બ્રાઝીલમાં આરોગ્ય મંત્રાલયને કોઈ રસી સપ્લાય કરી નથી. હૈદરાબાદ સ્થિત દવા ઉત્પાદકે જણાવ્યું હતું કે કંપનીએ વૈશ્વિક સોદા અને કાયદા હેઠળ કરાર કર્યો છે અને બ્રાઝિલમાં તે જ નિયમોનું પાલન કર્યું છે જેમણે વિશ્વના અન્ય દેશોમાં કોવેક્સિનની સફળતાપૂર્વક સપ્લાય કરવા માટે બનાવાયા છે.

ભારતમાં કોરોના વાયરસના ( corona virus) ગંભીર સંક્રમણનો ભોગ બનેલા લોકોની વાત કરીએ તો કોવેક્સીન તેના વિરુદ્ધ 93.4% પ્રભાવી જણાઈ છે. કંપનીએ અધિકૃત રીતે પરિણામો બહાર પાડતા જણાવ્યું કે ત્રીજા ફેઝની ટ્રાયલમાં ભાગ લેનારા 16,973 લોકોને બંને ડોઝ (અસલ વેક્સીન કે પ્લેસિબો) આપ્યાના ઓછામાં ઓછા બે અઠવાડિયા સુધી તેમના સ્વાસ્થ્ય પર નજર રાખવામાં આવી. તેના ફોલોઅપમાં જાણવા મળ્યું કે 130 વોલેન્ટિયર્સને કોરોના સંક્રમણ થયું, તેમાંથી 24 લોકો એવા હતા જેમને અસલ રસીના બંને ડોઝ અપાયા બાદ કોવિડ થયો જ્યારે 124 વોલેન્ટિયર્સ એવા હતા જેમને પ્લેસિબો આપ્યા બાદ કોવિડ થયો હતો. દુનિયાભરમાં ભય ફેલાવી રહેલા ડેલ્ટા વેરિયન્ટ સામે પણ કોવેક્સિન 65.2% અસરકારક જણાઈ છે, જ્યારે ગંભીર સંક્રમણથી બચવા માટે કોવેક્સિન 93.4% અસરકારક છે. ભારત બાયોટેકે ત્રીજા તબક્કાનાં પરિણામોના આધારે જણાવ્યું હતું કે કોવેક્સિન કોરોના સામે એકંદરે 77.8% અસરકારક હોવાનું જણાયું છે.

કોવેક્સિનની એફિકેસી 77.8%
કોવેક્સિનના ત્રીજા તબક્કાની ટ્રાયલમાં જાણવા મળ્યું છે કે એની ઓવરઓલ એફિકેસી 77.8% મળી છે, જ્યારે કોરોના વાયરસના ગંભીર સંક્રમણ પર એની ઓવરઓલ એફિકેસી 93.4% જાણવા મળી છે.

Most Popular

To Top