Vadodara

ટીમ રિવોલ્યુશન દ્વારા કોરોના મૃતકોના અસ્થિનું વિસર્જન કરાશે

વડોદરા: વડોદરા શહેર અને જીલ્લામાં અનેક લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યા છે. વળી ક્યાંક એવા કિસ્સાઓ પણ સામે આવ્યા છે.જેમાં કેટલાક મૃતકોની અસ્થિ વિસર્જન થઈ શકી નથી.ત્યારે આવા સમયે વડોદરા ટિમ રીવોલ્યુશનના યુવાનો આગળ આવ્યા છે.કોરોનામાં મૃત્યુ પામેલા 44 મૃતકોની અસ્થિઓ લઈ ટિમ રિવોલ્યુશનના યુવાનો હરિદ્વાર ખાતે ગંગા નદીમાં અસ્થિઓ વિસર્જન કરશે.

કોરોનામાં મૃત્યુ પામેલા 44 જેટલા મૃતકોની અસ્થિઓનુ ગંગાજીમાં ખાતે વિધિવત રીતે વિસર્જન કરવા માટે વડોદરાની ટીમ રિવોલ્યુશનના સભ્યો હરિદ્વાર જવા રવાના થયા હતા.જયારે જયારે સમાજની કોઈ જવાબદારી લેવાનો અવસર આવ્યો છે.ત્યારે ટીમ રિવોલ્યુશનના યુવાનો જવાબદારી લેવા આગળ આવ્યા છે.ફ્રી સેનિટાઇઝિંગ હોય,સરકારી હોસ્પિટલમાં ચા,પાણી, નાસ્તા અને જમવાનું હોય,પ્લાઝ્માની જરૂર હોય,ગરીબ જરૂરિયાત મંદ લોકોને દવાની કે પછી ઘરના રેશન કીટની જરૂર હોય,હોસ્પિટલમાં જવા આવવા એમ્બ્યુલન્સની જરૂર હોય કે સ્મશાન માં જવા શબવાહિની ની જરૂર હોય હંમેશા ટીમ રિવોલ્યુશનના યુવાનો તુરંત પોતાની જવાબદારી સ્વીકારીને કાર્ય કરતા આવ્યા છે.

શનિવારે વડોદરા શહેર તેમજ તાલુકના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાંથી કોરોનામાં મૃત્યુ પામેલા 44 જેટલા મૃતકોની અસ્થિ મેળવી ટીમ રિવોલ્યુશનના અગ્રણી સ્વેજલ વ્યાસ સહિત યુવા કાર્યકરો હરિદ્વાર ગંગામૈયાના સાનિધ્યમાં તમામ ધાર્મિક પૂજા વિધિ સાથે 44 અસ્થિ કળશ લઈ વિસર્જન કરવા વડોદરાથી રવાના થયા હતા. અત્રે નોંધનીય છે કે આ પહેલા પણ શહેર ભાજપ દ્વારા અસ્થિઓ એકત્ર કરી નદીઓમાં વિસર્જન કરવામાં આવી હતી. જેથી ટિમ રિવોલ્યુશન દ્વારા આવા પરિવારજનો માટે મદદરૂપ બની અસ્થિઓ પવિત્ર ગંગા નદીમાં વિસર્જિત કરવાનું બીડું ઉપાડ્યું છે.

Most Popular

To Top