Gujarat

રાજ્યના 13 જિલ્લાઓમાં નવો એકપણ કેસ નહીં નોંધાયો, કોરોનાના 138 નવા દર્દી

રાજ્યમાં કોરોનાના નવા કેસની સંખ્યામાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. આજે રાજ્યમાં 13 જિલ્લાઓમાં એકપણ નવો કેસ નોંધાયો નથી. જેમાં અમરેલી, અરવલ્લી, ભાવનગર ગ્રામ્ય, બોટાદ, છોટાઉદેપુર, ડાંગ, ખેડા, મહિસાગર, મોરબી, પંચમહાલ, પાટણ, રાજકોટ ગ્રામ્ય અને સુરેન્દ્રનગર જિલ્લાનો સમાવેશ થાય છે.

આજે રાજ્યમાં નવા 138 કેસ નોંધાયા છે. જ્યારે આજે વધુ અમદાવાદ મનપા, સુરત ગ્રામ્ય અને જામનગર ગ્રામ્યમાં એક-એક મળી એમ 3 દર્દીનાં મોત થયા છે, આમ કુલ મૃત્યુઆંક 10,040 પર પહોંચ્યો છે. આજે 487 દર્દીઓ સાજા થતાં અત્યાર સુધીમાં કુલ 8,07,911 દર્દીઓ સાજા થયા છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન આજે નવા નોંધાયેલા કેસોમાં અમદાવાદ મનપામાં 29, સુરત મનપામાં 20, વડોદરા મનપામાં 08, રાજકોટ મનપામાં 08, ગાંધીનગર મનપામાં 02, જામનગર મનપામાં 02 અને જૂનાગઢ મનપામાં 05 કેસ નોંધાયા છે. જ્યારે સુરત ગ્રામ્યમાં 11, વડોદરા ગ્રામ્યમાં 08, જૂનાગઢ ગ્રામ્યમાં 08, ભરૂચમાં 01, વલસાડમાં 07 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં હાલમાં એક્ટિવ કેસોની સંખ્યામાં 4,807, થઈ છે. 81 દર્દીઓ વેન્ટિલેટર ઉપર છે, અને 4,726 દર્દીઓ સ્ટેબલ છે.

આજે 4,48,153 વ્યકિતઓને રસી આપવામાં આવી
18 થી 45 વર્ષ સુધીના 2,96,255, વ્યકિતઓને પ્રથમ ડોઝ 13,596 વ્યક્તિઓને બીજો ડોઝ જ્યારે 45 વર્ષથી વધુ ઉંમરના પ્રથમ ડોઝ 77,764, બીજો ડોઝ 49,212 વ્યક્તિને આપવામાં આવ્યો છે. તેવી જ રીતે હેલ્થ કેર વર્કસ અને ફ્રન્ટ લાઈન વર્કરનો પ્રથમ ડોઝ 1,186, અને બીજો ડોઝ 9,840ને આપવામાં આવ્યો છે. આમ કુલ 4,48,153 વ્યકિતઓને રસી પવામાં આવી હતી. અત્યાર સુધીમાં 2,34,57,715 વ્યકિતઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.

Most Popular

To Top