Gujarat

રાજ્યમાં કોરોના ઢીલો પડ્યો, નવા 14 કેસ, એકપણ મોત નહીં

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 14 કેસો નોંધાયા છે. જ્યારે એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી. ઉપરાંત રાજ્યમાં સારવાર દરમિયાન 16 દર્દીને હોસ્પિટલમાંથી રજા આપી દેવાઈ છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના 825490 કેસ નોંધાયા છે.

ગાંધીનગરમાં આરોગ્ય વિભાગનાં સત્તાવાર સૂત્રોએ આપેલી માહિતી મુજબ છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 14 કેસો નોંધાયા છે. જેમાં વડોદરા મનપામાં 4, સુરત મનપામાં 3, સુરત જિ.માં 2, અમદાવાદ મનપામાં 1, ભાવનગર મનપામાં 1, ગાંધીનગર મનપામાં 1, નવસારીમાં 1 અને વડોદરામાં 1 કેસ નોંધાયો છે. એકપણ દર્દીનું મૃત્યુ નોંધાયું નથી. જ્યારે છેલ્લા 24 કલાકમાં 16 દર્દીને રજા આપી દેવાઈ છે. હાલ રાજ્યમાં 146 દર્દી સારવાર હેઠળ છે. જે પૈકી 5 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 141 દર્દીની સ્થિતિ સ્થિર છે. અત્યાર સુધીમાં 815262 દર્દીએ કોરોનાને માત આપી છે. જ્યારે રાજ્યમાં કુલ 10082 દર્દીનાં મૃત્યુ થયાં છે.

રવિવારે દિવસ દરમિયાન રાજ્યમાં 4.80 લાખ દર્દીને કોરોના સામે રક્ષણ આપવા રસી અપાઈ હતી. જેમાં 45 વર્ષથી વધુ ઉંમરના 62512 લોકોને રસીનો પ્રથમ ડોઝ, 45 વર્ષથી વધુ ઉંમરના 70672 લોકોને રસીનો બીજો ડોઝ, 18થી 45 વર્ષ સુધીના 188370 લોકોને પ્રથમ ડોઝ અને 18થી 45 વર્ષના 154620 લોકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો.

Most Popular

To Top