National

દેશમાં કોરોનાનો પ્રકોપ વધતો જાય છે, નવા 47,262 કેસ નોંધાયા

ભારતમાં એક કોરોનાના નવા 47,262 કેસ નોંધાયા છે. જે આ વર્ષમાં એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે. આ સાથે દેશમાં કુલ કોરોના સંક્રમિત દર્દીઓનો આંકડો 1,17,34,058 પર પહોંચી ગયો છે. એમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બુધવારે જણાવ્યું હતું.

મંગળવારે સવારે 8 વાગ્યે અપડેટ કરવામાં આવેલા આંકડાઓ અનુસાર, દેશમાં સતત 14 દિવસથી કોરોના સંક્રમણના કેસમાં વધારો થઈ રહ્યો છે. દેશમાં એક્ટિવ કેસનો આંકડો 3,68,457 પર પહોંચ્યો છે. જે કુલ ચેપનો 3.14 ટકા છે. જ્યારે રિકવરી રેટ ઘટીને 95.49 ટકા થઈ ગયો છે

મંગળવારે નોંધાયેલા કેસ છેલ્લા 132 દિવસમાં સૌથી વધુ છે. દેશમાં નવા 275 મૃત્યુ સાથે કુલ મૃત્યુઆંક વધીને 1,60,441 પર પહોંચી ગયો છે. મંગળવારે નોંધાયેલા મૃત્યુ લગભગ 83 દિવસમાં સૌથી વધુ છે.

આ અગાઉ 12 નવેમ્બર 2020ના રોજ 47,905 જેટલા નવા કેસ નોંધાયા હતા.
દેશમાં કોરોનાને માત આપનાર લોકોનો આંકડો વધીને 1,12,05,160 થયો છે. જ્યારે મૃત્યુદર 1.37 ટકા નોંધાયું છે.

ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (આઇસીએમઆર) દેશમાં મંગલવારે 10,25,628 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે કુલ 23,64,38,861 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
દેશમાં નવા 275 મૃત્યુમાં મહારાષ્ટ્રના 132, પંજાબના 53, છત્તીસગઢના 20 અને કેરળના 10 લોકોનો સમાવેશ થાય છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top