National

‘કોચિંગ સેન્ટર્સ ડેથ ચેમ્બર બની રહ્યાં છે’, દિલ્હી કોચિંગ દુર્ઘટના પર સુપ્રીમ કોર્ટે સરકાર પાસે જવાબ માંગ્યો

દિલ્હીના ઓલ્ડ રાજેન્દ્ર નગરમાં કોચિંગ સેન્ટરમાં યુપીએસસીની તૈયારી કરી રહેલા ત્રણ વિદ્યાર્થીઓના મૃત્યુ અંગે સુપ્રીમ કોર્ટે સુઓ મોટો સંજ્ઞાન લીધું છે. કોર્ટે આ મામલે કેન્દ્ર અને દિલ્હી સરકારને નોટિસ પાઠવી છે. રાજીન્દર નગર કોચિંગ સેન્ટર, દિલ્હીના UPSC વિદ્યાર્થીઓના મૃત્યુ પછી આજે સુપ્રીમ કોર્ટે કોચિંગ કેન્દ્રોની સલામતી અંગે સુઓ મોટો સંજ્ઞા લીધી. ત્યારબાદ કોર્ટે કેન્દ્ર સરકાર, દિલ્હી સરકાર અને MCDને કારણ બતાવો નોટિસ મોકલી છે. સુપ્રીમ કોર્ટે કોચિંગ સંસ્થાઓમાં તાજેતરની ઘટનાઓ પર તેની ચિંતા વ્યક્ત કરી હતી ત્યારબાદ તેણે કોચિંગ કેન્દ્રોમાં સુરક્ષાને લઈને સરકારને નોટિસ મોકલી હતી.

તાજેતરની ઘટના બાદ સુપ્રીમ કોર્ટે આજે કોચિંગ સેન્ટરોમાં સલામતી ધોરણો સંબંધિત મુદ્દા પર સુનાવણી દરમિયાન કહ્યું કે કોચિંગ સેન્ટર બાળકોના જીવ સાથે રમત રમી રહ્યા છે. કોચિંગ સેન્ટરો ડેથ ચેમ્બર બની ગયા છે. આ પછી કોર્ટે કેન્દ્ર સરકાર, દિલ્હીના મુખ્ય સચિવ અને MCDને નોટિસ જારી કરીને પૂછ્યું કે શું કોચિંગ સેન્ટરોમાં સુરક્ષા નિયમો લાગુ કરવામાં આવ્યા છે? આ મામલે સુપ્રીમ કોર્ટે એટર્ની જનરલને આ મામલે કોર્ટની મદદ કરવા કહ્યું છે.

શું હતો મામલો?
27 જુલાઈના રોજ દિલ્હીના રાજીન્દર નગરમાં કોચિંગ ક્લાસમાં પાણી ભરાવાને કારણે UPSCના ત્રણ વિદ્યાર્થીઓના મોત થયા હતા. અહીં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવતી રાવ એકેડમીના ભોંયરામાં પાણીમાં ડૂબી જવાથી ત્રણ બાળકોના મોત થયા હતા. મૃતકોમાં બે વિદ્યાર્થી અને એક વિદ્યાર્થીનીનો સમાવેશ થાય છે. ત્રણેય યુપીએસસીની તૈયારી કરી રહ્યા હતા. મૃતકોની ઓળખ તેલંગાણાની રહેવાસી તાન્યા સોની, કેરળની રહેવાસી નેવિન ડાલવિન અને યુપીની રહેવાસી શ્રેયા યાદવ તરીકે થઈ છે. જે બાદ MCD એ કાર્યવાહી કરી અને લગભગ 21 કોચિંગ ઇન્સ્ટિટ્યૂટને સીલ કરી દીધી. આ ઉપરાંત કોચિંગ સંચાલક સહિત 5 લોકો સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી. જે અંગે આજે હાઈકોર્ટમાં સુનાવણી થઈ છે. આ પછી પણ વિદ્યાર્થીઓનો ગુસ્સો શાંત થયો નથી, તેઓ પોતાની કેટલીક માંગણીઓ માટે સતત ઉપવાસ પર બેઠા છે. આજે સુપ્રીમ કોર્ટે આ મુદ્દે પોતાની હાજરી નોંધાવી છે.

Most Popular

To Top