National

અરવિંદ કેજરીવાલની ધરપકડ પર પત્ની સુનીતાએ કર્યો મોટો ખુલાસો, વીડિયો પણ જાહેર કર્યો

નવી દિલ્હીઃ (New Delhi) સીએમ અરવિંદ કેજરીવાલની (Arwind Kejriwal) ધરપકડ પર તેમની પત્ની સુનીતા કેજરીવાલે એક વીડિયો જાહેર કરીને મોટો ખુલાસો કર્યો છે. આ વીડિયોમાં સુનીતાએ કહ્યું કે શું તમે જાણો છો કેજરીવાલની ધરપકડ કેમ કરવામાં આવી? એનડીએ સાંસદના નિવેદન પર કેજરીવાલની ધરપકડ કરવામાં આવી છે. તેનું નામ મગુંટા શ્રીનિવાસન રેડ્ડી (MSR) છે. MSR આંધ્ર પ્રદેશના NDA સાંસદ છે. સુનીતાએ કહ્યું 17 સપ્ટેમ્બર, 2022ના રોજ EDએ MSRના પરિસરમાં દરોડા પાડ્યા હતા. તેમને પૂછવામાં આવ્યું કે શું તેઓ ક્યારેય કેજરીવાલને મળ્યા હતા? આના પર તેમણે કહ્યું કે તે કેજરીવાલને 16 માર્ચ 2021ના રોજ દિલ્હી સચિવાલયમાં તેમની ઓફિસમાં મળ્યા હતા.

MSRએ કહ્યું કે તે દિલ્હીમાં ફેમિલી ચેરિટેબલ ટ્રસ્ટ ખોલવા માંગે છે: સુનીતા
સુનીતાએ કહ્યું કે એમએસઆરએ કહ્યું કે તે દિલ્હીમાં ફેમિલી ચેરિટેબલ ટ્રસ્ટ ખોલવા માંગે છે. આ માટે તેઓ દિલ્હીના સીએમ સાથે જમીન અંગે વાત કરવા ગયા હતા. કેજરીવાલે કહ્યું કે જમીન એલજી પાસે છે. અરજી આપો, અમે જોઈ લઈશું. ત્યારબાદ તે ત્યાંથી ચાલ્યા ગયા હતા. પરંતુ EDને MSRનો જવાબ પસંદ ન આવ્યો. EDએ થોડા દિવસો બાદ MSRના પુત્ર રાઘવ મગુંટાની ધરપકડ કરી હતી અને MSRના વધુ નિવેદનો લેવામાં આવ્યા હતા. પરંતુ તે પોતાના નિવેદનનું પુનરાવર્તન કરતો રહ્યો જે સાચું હતું. આવી સ્થિતિમાં તેમના પુત્રના જામીન નામંજૂર થતા રહ્યા.

સુનીતાએ કહ્યું કે આઘાતના કારણે રાઘવની પત્ની અને એમએસઆરની પુત્રવધૂએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો અને તેમની વૃદ્ધ માતા તેમના પુત્રની હાલત જોઈને બિમાર થઈ ગઈ. 17 જુલાઈ 2023 ના રોજ પિતા MSR એ તેમનું નિવેદન EDને બદલ્યું. તેમણે કહ્યું કે 16 માર્ચ 2021ના રોજ તેઓ કેજરીવાલને મળવા ગયા હતા. 4 થી 5 મિનિટ વાત કરી. ત્યાં 10-12 લોકો બેઠા હતા. રૂમમાં પ્રવેશતા જ કેજરીવાલે મને કહ્યું કે દિલ્હીમાં દારૂનો ધંધો શરૂ કરો. બદલામાં AAPને 100 કરોડ રૂપિયા આપો. કેજરીવાલ સાથે આ મારી પ્રથમ અને છેલ્લી મુલાકાત હતી. આ નિવેદન બાદ બીજા જ દિવસે EDએ MSRના પુત્ર રાઘવને જામીન મળી ગયા. દેખીતી રીતે MSRનું આ નિવેદન ખોટું છે.

સુનીતાએ કહ્યું કે તે પોતે કહી રહ્યા છે કે તેમની અને કેજરીવાલ જી વચ્ચે આ પહેલી અને છેલ્લી મુલાકાત હતી. કોઈની પાસે પૈસા માંગવા હોય તો તે પહેલી જ મીટિંગમાં 10-12 લોકોની સામે માંગે? સ્વાભાવિક રીતે એમએસઆરના પુત્ર અને પરિવારને 5 મહિના સુધી ખરાબ રીતે ત્રાસ આપવામાં આવ્યો. આથી MSRએ પોતાના પુત્રને બચાવવા માટે ખોટું નિવેદન આપ્યું હતું. અને આ નિવેદન આપ્યાના માત્ર 2 દિવસ બાદ જ MSRના પુત્રને જામીન મળી જાય છે. કેજરીવાલને જામીન આપતાં કોર્ટે એ પણ સ્વીકાર્યું કે EDએ કોઈપણ પુરાવા વિના તેમને જામીનનો લોલીપોપ આપીને તેમનું નિવેદન લીધું.

સુનીતાએ કહ્યું કે કેજરીવાલને ઊંડા રાજકીય ષડયંત્રનો શિકાર બનાવવામાં આવ્યા છે. તે એક સામાન્ય, શિક્ષિત, પ્રમાણિક અને કટ્ટર દેશભક્ત વ્યક્તિ છે. જો તમે આજે તેમની સાથે નહીં ઊભા રહો તો આ દેશમાં શિક્ષિત અને પ્રામાણિક લોકો ક્યારેય રાજકારણમાં નહીં આવે. શું મોદીજી કેજરીવાલ સાથે બરાબર કરી રહ્યા છે?

Most Popular

To Top