National

ચંદીગઢ કોર્ટમાં મર્ડરઃ પંજાબ પોલીસના સસ્પેન્ડેડ AIGએ IRS જમાઈને ગોળી મારી

પંજાબ પોલીસના સસ્પેન્ડેડ એઆઈજીએ શનિવારે ચંદીગઢ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં તેમના જમાઈની ગોળી મારીને હત્યા કરી હતી. બંને પરિવારો વચ્ચે ઘરેલુ ઝઘડો ચાલતો હતો. આ મામલે શનિવારે બંને પક્ષો ચંદીગઢ ફેમિલી કોર્ટ પહોંચ્યા હતા. આરોપીની ઓળખ સસ્પેન્ડેડ એઆઈજી માનવાધિકાર માલવિંદર સિંહ સિદ્ધુ તરીકે કરવામાં આવી છે. મૃતકના જમાઈ ખેતીવાડી વિભાગમાં આઈઆરએસ હતા.

બંને પક્ષો વચ્ચે વાતચીત થઈ રહી હતી. દરમિયાન આરોપીએ બાથરૂમ જવાનું કહેતાં એઆઈજીએ જમાઈએ કહ્યું કે હું રસ્તો બતાવીશ. બંને રૂમની બહાર નીકળી ગયા. આ દરમિયાન આરોપીએ તેમની બંદૂકમાંથી પાંચ ગોળી ચલાવી હતી. જેમાંથી બે ગોળી યુવાનને વાગી હતી. એક ગોળી અંદરના રૂમના દરવાજા પર વાગી હતી. બે ફાયર ખાલી ગયા. ગોળીનો અવાજ આવતા જ કોર્ટમાં હંગામો મચી ગયો હતો. ઘટનાસ્થળે પહોંચેલા વકીલોએ આરોપીને પકડીને રૂમમાં બંધ કરી દીધો અને પોલીસને જાણ કરી હતી.

આ પછી ઘાયલને સેક્ટર 16ની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો પરંતુ રસ્તામાં જ તેનું મોત થઈ ગયું. માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રૂમમાં બંધ આરોપીની અટકાયત કરી પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. અકસ્માત બાદ અનેક જજ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. સસ્પેન્ડેડ AIG સિદ્ધુ અગાઉ પણ વિવાદોમાં રહ્યા છે. ગયા વર્ષે તેમની ભ્રષ્ટાચારના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ દરમિયાન તેમની પોલીસ સાથે ઝપાઝપી થઈ હતી ત્યારે પણ તેમણે પોતાના જમાઈ પર આક્ષેપો કર્યા હતા.

Most Popular

To Top