National

આતિશીએ કહ્યું: ભાજપ શીખ-દલિત વિરોધી, CMની ઓફિસમાંથી આંબેડકર અને ભગત સિંહનો ફોટો હટાવ્યો

દિલ્હીમાં વિપક્ષી આમ આદમી પાર્ટી (AAP) એ દાવો કર્યો છે કે વિધાનસભામાં મુખ્યમંત્રી રેખા ગુપ્તાના કાર્યાલયમાંથી બંધારણના ઘડવૈયા ભીમરાવ આંબેડકર અને શહીદ ભગતસિંહના ચિત્રો દૂર કરવામાં આવ્યા છે. પૂર્વ સીએમ આતિશીએ કહ્યું કે આનાથી ભાજપની શીખ- દલિત વિરોધી રાજનીતિનો પર્દાફાશ થાય છે.

વિપક્ષના નેતા આતિશીએ કહ્યું, “અરવિંદ કેજરીવાલના દિલ્હી સરકારમાં મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન દરેક સરકારી કાર્યાલયમાં આંબેડકર અને શહીદ ભગતસિંહના ફોટા લગાવવામાં આવ્યા હતા. પરંતુ આજે જ્યારે અમે દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાને વિધાનસભા સ્થિત તેમના કાર્યાલયમાં મળવા ગયા ત્યારે અમે જોયું કે બંને ફોટા મુખ્યમંત્રી કાર્યાલયમાંથી દૂર કરવામાં આવ્યા છે, AAP વિધાનસભામાં આનો સખત વિરોધ કરે છે. AAP એ દાવો કર્યો હતો કે મુખ્યમંત્રી કાર્યાલયમાં હવે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને મહાત્મા ગાંધીના ચિત્રો છે.

દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP) ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે પણ ફોટો હટાવવા પર નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું, “દિલ્હીમાં નવી ભાજપ સરકારે બાબા સાહેબનો ફોટો હટાવીને તેની જગ્યાએ વડા પ્રધાન મોદીનો ફોટો લગાવી દીધો છે. આ બરાબર નથી. તેમણે કહ્યું, “આનાથી બાબા સાહેબના કરોડો અનુયાયીઓને દુઃખ થયું છે. મારી ભાજપને એક વિનંતી છે. તમે પ્રધાનમંત્રીનો ફોટો લગાવી શકો છો પણ બાબા સાહેબનો ફોટો ના હટાવો. તેમનો ફોટો ત્યાં જ રહેવા દો.

દિલ્હી વિધાનસભામાં આ ફોટોગ્રાફ્સને લઈને ભારે હોબાળો થયો હતો. નવા સ્પીકર વિજેન્દ્ર ગુપ્તાને અભિનંદન આપતાં આતિશીએ કહ્યું કે ફોટોગ્રાફ્સ હટાવવા એ અપમાનજનક હતું. આ અંગે AAP ધારાસભ્યો પણ હોબાળો કરતા જોવા મળ્યા. આ અંગે સ્પીકર વિજેન્દ્ર ગુપ્તાએ કહ્યું કે આ એક સૌજન્ય ભાષણ હતું. રાજકીય પ્લેટફોર્મ બનાવવું જોઈતું ન હતું. હું આતિશીના વર્તનની સખત નિંદા કરું છું.

Most Popular

To Top