ભરૂચ: સમગ્ર ગુજરાતમાં ભરૂચથી ભાવનગર એક મોટું સપનું સાકાર થવા જઈ રહ્યું છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરી માર્ગ મંત્રાલય ભરૂચને ભાવનગર સાથે જોડવાની દિશામાં હરકતમાં આવ્યું છે. જે માટે કેન્દ્રીય મંત્રાલયે ડીપીઆર તૈયાર કરવા માટે ટેન્ડર મંગાવ્યાં છે. હાલમાં ભરૂચથી ભાવનગર જવા માટે ફેરી સુવિધા થતો હતો. તે ખંભાતના અખાત તરીકે ઓળખાવતા અરબી સમુદ્રનો અખાત આવેલો છે. ભાવનગર-ભરૂચ વચ્ચેનું અંતર કાપવામાં ફેરીને લગભગ દોઢ કલાક લાગે છે. જ્યારે રોડ દ્વારા 280 કિમીનું અંતર લગભગ માત્ર છ કલાક લાગે છે. ભરૂચ ભાવનગર નવો રૂટ બનતાં માત્ર 45 મિનીટમાં પહોંચી જવાશે.
ભરૂચથી ભાવનગર નવો રૂટ જો રાજકોટમાંથી પસાર થતા જામનગર-ભાવનગર વચ્ચેના પ્રસ્તાવિત એક્સપ્રેસ-વેને ભરૂચ સુધી લંબાવવામાં આવે તો તે આવતી કાલ ગુજરાત માટે એક મોટો ગેમચેન્જર સાબિત થશે. આ એક્સપ્રેસ-વે ભરૂચમાં દિલ્હી અને મુંબઈ વચ્ચે બની રહેલા નવા એક્સપ્રેસ-વેને જોડશે. જ્યારે જામનગરમાં તે અમૃતસર જામનગર ઇકોનોમિક કોરિડોર સાથે જોડાશે. આનાથી ગુજરાતમાં વિકાસને વધુ વેગ મળવાની અપેક્ષા છે. ત્રીજા પેકેજમાં ભાવનગરથી ભરૂચ સુધીનું બાંધકામ પ્રસ્તાવિત છે. અરબી સમુદ્રના અખાતમાંથી પસાર થતા આ એક્સપ્રેસ-વેની કુલ લંબાઈ 68 કિલોમીટર હશે. તેમાં લગભગ 30 કિમી લાંબો પુલ સામેલ હશે. જ્યારે જામનગર-રાજકોટ-ભાવનગર-ભરૂચ એક્સપ્રેસ-વેની કુલ લંબાઈ 316 કિ.મી. હશે.
જો ભાવનગર અને ભરૂચ વચ્ચે એક્સપ્રેસ-વે બનશે, તો તે ફક્ત બે આર્થિક કોરિડોર અને એક્સપ્રેસ-વેને કનેક્ટિવિટી પ્રદાન કરશે નહીં, પરંતુ ગુજરાતના લોકો માટે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત વચ્ચે મુસાફરી કરવાનું પણ સરળ રહેશે. આનાથી સમય અને ઇંધણની બચત થશે. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલયે ભાવનગર-ભરૂચ એક્સપ્રેસ-વેનો ડીપીઆર તૈયાર કરવામાં રસ ધરાવતી કંપનીઓ માટે 21 માર્ચ,2025ની સમયમર્યાદા નક્કી કરી છે.
મંત્રાલયના જણાવ્યા અનુસાર આ પ્રોજેક્ટ ગુજરાતમાં પ્રાદેશિક જોડાણમાં સુધારો કરશે. 68 કિમી લાંબો આ એક્સપ્રેસ-વે જામનગર-ભાવનગર-ભરૂચ હાઇ-સ્પીડ કોરિડોરનો ભાગ હશે. કેન્દ્ર સરકારે તેનો પીએમ ગતિશક્તિ પ્રોજેક્ટમાં સમાવેશ કર્યો છે. આ એક્સપ્રેસ-વેના નિર્માણ પછી ભરૂચ અને ભાવનગર વચ્ચેનું 68 કિ.મી.નું અંતર માત્ર 45 મિનિટમાં કપાશે.