National

શ્રીનગર-લેહ હાઇવે પર એવલાંચ: 6 લોકોના મોત, 6 ફૂટ બરફ નીચે અનેક વાહનો દટાયા

શુક્રવારે સાંજે 4:00 વાગ્યે જમ્મુ અને કાશ્મીરમાં શ્રીનગર-લેહ હાઇવે પર હિમપ્રપાત થયો. ઝોજીલા પાસના ઝીરો પોઇન્ટ નજીક બનેલી આ ઘટનામાં છ ફૂટથી વધુ બરફ નીચે અનેક વાહનો દટાયા હતા. અકસ્માતમાં છ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.

પોલીસના જણાવ્યા અનુસાર ઘટના બાદ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. પાંચ વ્યક્તિઓને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે અને હાલમાં તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. રસ્તા પરથી કાટમાળ અને બરફ સાફ કરવાનું કામ ચાલુ છે અને ટૂંક સમયમાં વાહનવ્યવહાર ફરી શરૂ થવાની ધારણા છે.

દેશમાં અનેક સ્થળોએ વરસાદ અને વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. 28 માર્ચે અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારે વરસાદની સંભાવના છે. બિહારમાં કેટલાક વિસ્તારોમાં કરા સાથે વાવાઝોડા પણ પડી શકે છે. 29 માર્ચે હરિયાણા, ચંદીગઢ, પંજાબ અને દિલ્હીમાં 50-60 કિમી/કલાકની ઝડપે ભારે પવન ફૂંકાય તેવી શક્યતા છે. બિહાર, છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, મધ્ય પ્રદેશ, તેલંગાણા અને ઉત્તરાખંડમાં વીજળી સાથે વાવાઝોડાની શક્યતા છે.

રાજસ્થાન માટે 27 માર્ચથી 30 માર્ચ સુધી વાવાઝોડા, વરસાદ અને કરા પડવાની ચેતવણી જારી કરવામાં આવી છે. રાજ્યના કુલ આઠ જિલ્લાઓમાં હવામાનની સ્થિતિમાં ફેરફાર થવાની ધારણા છે. હવામાન વિભાગે આ પ્રદેશના ખેડૂતોને કાપેલા પાક અથવા પાકેલા અને ખેતરો અથવા ખુલ્લી જગ્યાઓમાં પડેલા પાકને સુરક્ષિત સ્થળે ખસેડવાની સલાહ આપી છે.

Most Popular

To Top