Sports

મહિલા એશિયા કપ 2024: બાંગ્લાદેશને હરાવીને ફાઇનલમાં પ્રવેશી ટીમ ઈન્ડિયા, હવે થશે પાકિસ્તાન સાથે ટક્કર!

હરમનપ્રીત કૌરની કપ્તાની હેઠળની ભારતીય મહિલા ક્રિકેટ ટીમે એશિયા કપ 2024ની ફાઇનલમાં શાનદાર રીતે પ્રવેશ કર્યો છે. પ્રથમ સેમિફાઇનલમાં બાંગ્લાદેશને 10 વિકેટે હરાવીને ભારતે વિરોધી ટીમને સ્તબ્ધ કરી દીધી હતી. પહેલા બોલરોએ બાંગ્લાદેશને સામાન્ય સ્કોર સુધી રોકી રાખ્યું અને ત્યાર બાદ બેટ્સમેનોએ શાનદાર બેટિંગ કરીને ટીમને ફાઇનલમાં પ્રવેશ અપાવ્યો. હવે ફાઇનલમાં ભારતનો મુકાબલો કઇ ટીમ સાથે થશે તે પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે રમાનાર બીજી સેમીફાઇનલના પરિણામ પરથી નક્કી થશે. 

ભારતે કોઈ પણ નુકશાન વિના લક્ષ્ય હાંસલ કરી લીધું
મેચમાં પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશે 20 ઓવરમાં માત્ર 80 રન બનાવ્યા હતા. એટલે કે ભારતને જીતવા માટે 81 રનનો નાનો સ્કોર હતો, જે ભારતે કોઈ પણ વિકેટ ગુમાવ્યા વિના 11 ઓવરમાં હાંસલ કરી લીધો હતો. એક તરફ શેફાલી વર્માએ 26 રનની ઇનિંગ રમી તો બીજી તરફ ઓપનર સ્મૃતિ મંધાનાએ શાનદાર 55 રન બનાવ્યા. બોલરોએ ભારત માટે જે પ્લેટફોર્મ તૈયાર કર્યું હતું તેના પર બેટ્સમેનોએ કામ કર્યું. 28 જુલાઈના રોજ રમાનારી ફાઇનલમાં ભારતનો મુકાબલો પાકિસ્તાન અથવા શ્રીલંકામાંથી થશે. ભારતીય ટીમ પહેલાથી જ ખિતાબ જીતવાની દાવેદાર માનવામાં આવતી હતી, હવે ફાઇનલમાં પહોંચ્યા બાદ ભારત એશિયા કપના બીજા ટાઇટલથી માત્ર એક ડગલું દૂર છે. 

બાંગ્લાદેશની બેટિંગ નબળી હતી, રેણુકા સિંહે તબાહી મચાવી
આ પહેલા બાંગ્લાદેશની ટીમ જ્યારે બેટિંગ કરવા ઉતરી ત્યારે ટીમની શરૂઆત ખરાબ રહી હતી. પહેલી વિકેટ પહેલી જ ઓવરમાં પડી જ્યારે દિલારા અખ્તર માત્ર 6 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. રેણુકા સિંહે તેને પેવેલિયનમાં મોકલી દીધી. આ પછી બીજી વિકેટ પણ 17ના સ્કોર પર પડી. ઈસ્મા તનઝીમ 8 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. રેણુકા સિંહે પણ તેને પોતાનો શિકાર બનાવી હતી. મુર્શિદા ખાતૂન પણ ચાર રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. સળંગ ત્રણ વિકેટ લઈને રેણુકા સિંહે બાંગ્લાદેશને માત્ર બેકફૂટ પર જ નહીં મુકી પરંતુ વિરોધી છાવણીમાં પણ હલચલ મચાવી દીધી. 

નિગાર સુલ્તાનાએ કેપ્ટનશિપની ઇનિંગ રમી
બાંગ્લાદેશના એક છેડે સતત વિકેટો પડી રહી હતી ત્યારે કેપ્ટન નિગાર સુલ્તાનાએ એક છેડો પકડી રાખ્યો હતો. જો કે તેને કોઈનો સાથ મળી રહ્યો ન હતો. શોર્ના અખ્તરે છેલ્લી ઓવરોમાં ચોક્કસપણે થોડો ટેકો આપ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. તેણે 19 રન બનાવ્યા હતા. કેપ્ટન સુલ્તાનાએ 51 બોલનો સામનો કર્યો અને 32 રનની શાનદાર ઇનિંગ રમી. આ દરમિયાન તેના બેટમાંથી 2 ચોગ્ગા આવ્યા હતા. આ પછી પણ આખી ટીમ 80 રન જ બનાવી શકી હતી. આ પછી જ્યારે ભારતને 81 રનનો ટાર્ગેટ મળ્યો ત્યારે નક્કી થઈ ગયું કે ટીમ ઈન્ડિયા આ મેચ જીતીને સેમીફાઈનલમાં જશે. બરાબર એવું જ થયું. હવે ફાઇનલમાં ભારતીય ટીમ કોની સામે ટકરાશે તે બીજી સેમિફાઇનલમાં નક્કી થશે, જેમાં પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે મુકાબલો થશે. 

Most Popular

To Top