અખનૂરમાં ભારત-પાકિસ્તાન નિયંત્રણ રેખા પર પાકિસ્તાને યુદ્ધવિરામનો ભંગ કર્યો. સૈનિકોએ ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. ત્યાં એક સેનાના સુબેદાર શહીદ થયા.
શુક્રવારે રાત્રે અખનૂરના કેરી બટ્ટલમાં સરહદ પારથી પાકિસ્તાન રેન્જર્સે યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું હતું. આ ગોળીબારમાં સેનાનો એક જવાન શહીદ થયો છે. કહેવામાં આવી રહ્યું છે કે આતંકવાદીઓની ઘૂસણખોરી કરવાના ઉદ્દેશ્યથી સરહદ પારથી ગોળીબાર કરવામાં આવ્યો હતો, જેનો ભારતીય સેનાએ યોગ્ય જવાબ આપ્યો છે.
જાણવા મળ્યું કે 11 એપ્રિલની રાત્રે સુંદરબનીના કેરી-બટ્ટલ વિસ્તારમાં નિયંત્રણ રેખા પર 9 પંજાબના JCO (સુબેદાર) કુલદીપ ચંદ ઘૂસણખોરી વિરોધી કાર્યવાહીનું નેતૃત્વ કરી રહ્યા હતા. આ દરમિયાન તેઓ ગોળીબારમાં ઘાયલ થયા હતા. ઘાયલ થયા બાદ, તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. હવે સુબેદાર કુલદીપ શહીદ થઈ ગયા છે.
એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે શંકાસ્પદ ગતિવિધિઓ જોયા બાદ ભારતીય સુરક્ષા દળોએ ગોળીબાર કર્યો હતો. ત્યાં આતંકવાદીઓ છુપાયેલા હોવાની શક્યતા છે. તે જ સમયે પૂંછમાં ફ્લેગ મીટિંગના બીજા દિવસે મોડી રાત્રે સરહદ પારથી હુમલો કરવામાં આવ્યો. ભારતીય સેનાના જવાનો પાકિસ્તાની સેનાને જડબાતોડ જવાબ આપી રહ્યા છે.
માહિતી આપતાં સેનાએ જણાવ્યું કે અખનૂર સેક્ટરમાં LoC પર આતંકવાદીઓ સાથેની એન્કાઉન્ટરમાં સેનાના એક જુનિયર કમિશન્ડ ઓફિસર શહીદ થયા છે. પરંતુ તેમનો ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ ગયો.
અધિકારીઓએ જણાવ્યું હતું કે શુક્રવારે મોડી રાત્રે કેરી ભટ્ટલ વિસ્તારમાં જંગલમાં એક નાળા પાસે સતર્ક સેનાના જવાનોએ ભારે હથિયારોથી સજ્જ આતંકવાદીઓના જૂથની હિલચાલ જોઈ હતી. જે પછી ભારે ગોળીબાર થયો જે લાંબા સમય સુધી ચાલુ રહ્યો.
વધુમાં જણાવાયું છે કે એન્કાઉન્ટરમાં એક JCO ઘાયલ થયો હતો અને બાદમાં તેણે પોતાનો જીવ ગુમાવ્યો હતો. તેમણે કહ્યું કે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે. વધારાના દળો તૈનાત કરવામાં આવ્યા છે. શોધખોળ કામગીરી ચાલુ હતી. બીજી તરફ આ જ વિસ્તારમાં 11 ફેબ્રુઆરીએ આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા IED વિસ્ફોટમાં એક કેપ્ટન સહિત બે સેનાના જવાનો શહીદ થયા હતા અને એક ઘાયલ થયો હતો.
