Charchapatra

યુવતીઓ માટે પ્રેરણારૂપ –ડૉ. શૈલજા પાઇક

યરવડાની સિદ્ધાર્થનગર ઝૂંપડપટ્ટીમાં નિવાસ, દિવસે મજૂરી કરતા પિતા દેવરામ રાત્રિ શાળામાં ભણીને ખેતી સ્નાતક થયા હતા. ચાર દીકરીઓ. ઝૂંપડપટ્ટીમાં રહેલી પુત્રીઓને અંગ્રેજી માધ્યમમાં ભણાવી. મહારાષ્ટ્રના એક નાના ગામના દલિત પરિવારમાં જન્મેલી, યરવડાની ઝૂંપડપટ્ટીમાં ઉછરેલાં અને આજે ઓહિયો સ્ટેટની સિનસિનાટી યુનિ. ના માનદ્દ અભ્યાસુ તજજ્ઞ પ્રાધ્યાપક સંશોધક ડો. શૈલજા પાઈકને તાજેતરમાં (2024માં) મેકઆર્થર ફાઉન્ડેશનના આઠ લાખ અમેરિકી ડોલર એટલે કે પોણા સાત કરોડ રૂપિયાની જિનીયસ ગ્રાન્ટથી નવાજાયાં છે. તેઓ ઇન્ડો અમેરિકન દલિત મહિલા ઇતિહાસકાર તરીકે સફળ નીવેડલાં છે.

2005માં એમોરી ફેલોશીપ હેઠળ શૈલજા ઉચ્ચ અભ્યાસ અર્થે અમેરિકા ગયાં, જયાં નવા જીવનનાં દ્વાર ખૂલી ગયાં. ત્યાં વારવિક યુનિ.માંથી  Ph.D.થયાં. તેમણે યેલ અને અન્ય યુનિ.ઓમાં પણ શૈક્ષણિક કાર્ય કર્યું છે. શૈલજાએ જ્ઞાતિ, લિંગ અને કામુકતાના આંતરસંબંધો પર ગહન અભ્યાસ કર્યો છે. પૂર્ણની ઝૂંપડપટ્ટીમાં જાજરૂ અને પાણીનો રોજનો અનુભવ, કચરો, ગંદકી અને રખડતાં ભૂંડ તેમના રોજિંદા જીવનનો હિસ્સો હતો. દલિત વુમન્સ એજ્યુકેશન ઇન મોર્ડન ઇન્ડિયા પ્રથમ સંશોધનપુસ્તક ઘણું ખ્યાતિ પામ્યું છે. દલિતોના જીવનમાં બંધારણના ઘડવૈયા ભારતરત્ન ડૉ. બાબાસાહેબની જેમ શિક્ષણ જ સામાજિક આર્થિક પરિવર્તન ને ખુમારી લાવે છે એમ માનવું છે. વિદ્વત્તા અને અધ્યયનશીલતાના નક્કર પુરાવારૂપ શૈલજા પાઈકને અભિનંદન.
તાડવાડી          – રમીલા પરમાર–  આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top