ભારતની પ્રખ્યાત ડેરી કંપની અમુલે શનિવારે મોટી રાહતની જાહેરાત કરી. ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF), જે અમુલ બ્રાન્ડ હેઠળ તેના ઉત્પાદનોનું વેચાણ કરે છે તેણે 700 થી વધુ પ્રોડક્ટ પેક પર ભાવ ઘટાડાની જાહેરાત કરી. GST દરમાં ઘટાડાનો લાભ ગ્રાહકો સુધી પહોંચાડવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
GCMMF (ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન), જે અમુલ બ્રાન્ડ હેઠળ ડેરી ઉત્પાદનોનું માર્કેટિંગ કરે છે તેણે ઘી, માખણ, આઈસ્ક્રીમ, બેકરી અને ફ્રોઝન નાસ્તા સહિત 700 થી વધુ પ્રોડક્ટ પર છૂટક ભાવ ઘટાડાની જાહેરાત કરી. કંપનીએ GST દરમાં ઘટાડાનો લાભ ગ્રાહકો સુધી પહોંચાડવા માટે ઉત્પાદનના ભાવ ઘટાડવાનો નિર્ણય લીધો. નવી કિંમતો 22 સપ્ટેમ્બરથી અમલમાં આવશે. GCMMF એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે 700 થી વધુ પ્રોડક્ટ પેકની કિંમત યાદીમાં સુધારો કરવામાં આવ્યો છે, જેનાથી ગ્રાહકો GST ઘટાડાનો સંપૂર્ણ લાભ મેળવી શકશે. આ સુધારા 22 સપ્ટેમ્બર, 2025 થી અમલમાં આવશે.
કઈ વસ્તુઓ પર કેટલી બચત થશે?
ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનએ જણાવ્યું હતું કે આ સુધારા માખણ, ઘી, UHT દૂધ, આઈસ્ક્રીમ, ચીઝ, ચોકલેટ, બેકરી રેન્જ, ફ્રોઝન ડેરી અને બટાકાના નાસ્તા, કન્ડેન્સ્ડ મિલ્ક, પીનટ સ્પ્રેડ, માલ્ટ-આધારિત પીણાં વગેરે જેવી ઉત્પાદન શ્રેણીઓમાં કરવામાં આવ્યા છે.” માખણ (100 ગ્રામ) ની MRP 62 રૂપિયાથી ઘટાડીને 58 રૂપિયા કરવામાં આવી છે. ઘીના ભાવ 40 રૂપિયા ઘટાડીને 610 રૂપિયા પ્રતિ લિટર કરવામાં આવ્યા છે. અમૂલ પ્રોસેસ્ડ ચીઝ બ્લોક (1 કિલો) ની મહત્તમ છૂટક કિંમત ₹30 ઘટાડીને ₹545 પ્રતિ કિલો કરવામાં આવી છે. ફ્રોઝન ચીઝ (૨૦૦ ગ્રામ) ની નવી મહત્તમ છૂટક કિંમત ૨૨ સપ્ટેમ્બરથી લાગુ થશે જે હાલના ₹૯૯ થી ₹૯૫ થશે.
ભાવ ઘટાડાથી વપરાશ વધશે
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અમૂલ માને છે કે ભાવ ઘટાડાથી વિવિધ ડેરી ઉત્પાદનો, ખાસ કરીને આઈસ્ક્રીમ, ચીઝ અને માખણનો વપરાશ વધશે, કારણ કે ભારતમાં માથાદીઠ વપરાશ હજુ પણ ખૂબ ઓછો છે જેનાથી નોંધપાત્ર વૃદ્ધિની તકો ઊભી થશે. ૩૬ લાખ ખેડૂતોની માલિકીની GCMMF એ જણાવ્યું હતું કે ભાવ ઘટાડાથી તેના ડેરી ઉત્પાદનોની માંગ વધશે, જેના કારણે તેના વ્યવસાયમાં વૃદ્ધિ થશે. નોંધનીય છે કે મધર ડેરીએ પણ ૨૨ સપ્ટેમ્બરથી તેના ઉત્પાદનોના ભાવ ઘટાડાની જાહેરાત કરી હતી.