Gujarat

અમદાવાદમાં રથયાત્રા નિકળશે કે કેમ ? અસમંજસની સ્થિતી વચ્ચે આજે જળયાત્રા નીકળશે

અમદાવાદના જમાલપુર ખાતે આવેલા પ્રસિદ્ધ ભગવાન જગન્નાથ મંદિરેથી પરંપરાગત રીતે રથયાત્રા યોજાતી હોય છે, આ વખતે રથયાત્રા નિકળશે કે કેમ ? તેવી અસમંજસની સ્થિતી વચ્ચે રથયાત્રા પહેલાં નીકળતી જળયાત્રાને મંજૂરી આપવામાં આવી છે, જે આવતીકાલે તા. 24મી જૂનના રોજ અમદાવાદ શહેરમાં નીકળશે.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા હાજર રહેશે.
ભગવાન જગન્નાથ મંદિરની 144મી રથયાત્રા યોજાશે કે કેમ ? તેની અસમંજસની સ્થિતી વચ્ચે આવતીકાલ તારીખ 24 જૂનના રોજ જગન્નાથ મંદિર દ્વારા જળયાત્રા કાઢવામાં આવશે. આ જળયાત્રામાં પાંચ કળશ, પાંચ પતાકા, એક ગજરાજ અને 30થી 40 શ્રદ્ધાળુઓની હાજરીમાં જળયાત્રા નીકળશે. આ જળયાત્રામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા હાજર રહેશે.

Most Popular

To Top