Gujarat

અમદાવાદ- સુરત મનપામાં 4-4 કેસ સાથે કોરોનાના નવા 15 કેસ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ અને સુરત મનપામાં 4-4 વધુ નવા કેસ સાથે કુલ 15 નવા કેસ નોંધાયા છે. જ્યારે રાજ્યમાં હાલમાં 150 એક્ટિવ કેસ છે. જેમાંથી 145 દર્દીઓ સ્ટેબલ છે અને 05 દર્દીઓ વેન્ટિલેટર પર છે. રાજ્યમાં નવા નોંધાયેલા 15 કેસમાં અમદાવાદ, સુરત મનપામાં 4-4, જામનગર, રાજકોટ ગ્રામ્ય અને વડોદરા મનપામાં 2-2 અને કચ્છમાં 1 કેસનો સમાવેશ થાય છે.

બીજી તરફ આજે વધુ 19 દર્દીઓ સાજા થતાં રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,15,423 દર્દી સાજા થયા છે. બુધવાર સાંજે ચાર વાગ્યા સુધીમાં 3,64,206 વ્યકિતઓને રસી આપવામાં આવી હતી. રાજ્યમાં આજે 18-45 વર્ષ સુધીના 1,17,118ને પ્રથમ ડોઝ અને 1,60,402 બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.

તેવી જ રીતે 45 વર્ષથી વધુ ઉંમરના 39,929ને પ્રથમ ડોઝ અને 44,680ને બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. જ્યારે 7 હેલ્થ કેર વર્કર અને ફ્રન્ટ લાઈન વર્કરને પ્રથમ ડોઝ તેમજ 2079ને બીજો ડોઝ આપવામાં આવ્યો તો આજે સાંજ સુધીમાં કુલ 3,64,206 વ્યકિતઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં કુલ 5,33,19,834 વ્યકિતઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.

Most Popular

To Top