National

તિરુપતિ પ્રસાદ વિવાદ બાદ કાશી વિશ્વનાથ ધામમાં પ્રસાદની તપાસ કરવામાં આવી

તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદમાં પશુ ચરબી મળી હોવાના અહેવાલને લઈને સમગ્ર દેશમાં ચર્ચા ચાલી રહી છે. આ દરમિયાન કાશી વિશ્વનાથ મંદિરના પ્રસાદની પણ તપાસ કરવામાં આવી હતી. ક્ષેત્રના પ્રશાસનિક અધિકારીએ પ્રસાદ સ્થળનું નિરીક્ષણ કરી ગુણવત્તાની ચકાસણી કરી હતી.

તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદમાં પશુ ચરબી મળી હોવાના અહેવાલ બાદ સનાતન ધર્મના લોકો સહિત તમામ લોકોમાં રોષ છે. આ ઘટના સામે આવ્યા બાદ કાશીમાં પ્રસાદને લઈને તકેદારી શરૂ થઈ ગઈ છે. આ ક્રમમાં શનિવારે સવારે અચાનક ડેપ્યુટી કલેક્ટર શંભુ શરણ કાશી વિશ્વનાથ ધામમાં બનતા પ્રસાદની ગુણવત્તા ચકાસવા પહોંચ્યા હતા.

ડેપ્યુટી કલેક્ટર શંભુ શરણે સ્થળની મુલાકાત લીધી હતી અને કાશી વિશ્વનાથ મંદિરમાં ઉપલબ્ધ પ્રસાદની ગુણવત્તા અને શુદ્ધતાની ચકાસણી કરી હતી. તેમણે જ્યાં પ્રસાદ બનાવવામાં આવે છે તે સ્થળનું નિરીક્ષણ કર્યું હતુ. આ દરમિયાન અધિકારીએ કડક સૂચના આપી અને કહ્યું કે ધોરણોનું ચુસ્તપણે પાલન થવું જોઈએ.

તિરુપતિ મંદિરના મેનેજમેન્ટે કહ્યું- પ્રસાદ હવે પવિત્ર છે
દરમિયાન શનિવારે કેન્દ્ર અને રાજ્ય સરકારના ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટના અધિકારીઓ તપાસ માટે તમિલનાડુના ડિંડીગુલમાં એઆર ડેરી ફૂડ્સની ફેક્ટરીમાં પહોંચ્યા હતા. બીજી તરફ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે વારાણસીમાં કહ્યું કે ગઈ રાત્રે મારા કેટલાક સાથીઓ બાબા વિશ્વનાથ ધામ ગયા હતા. રાત્રે જ્યારે બાબાનો મને પ્રસાદ આપ્યો ત્યારે મારા મગજમાં તિરુમાલાની ઘટના આવી. મારા મનમાં થોડી મૂંઝવણ હતી. આવી ભેળસેળ દરેક તીર્થધામોમાં થઈ શકે છે. હિંદુ ધર્મ અનુસાર આ એક મોટું પાપ છે. આની યોગ્ય તપાસ થવી જોઈએ.

Most Popular

To Top