Vadodara

મુસ્લિમ ધર્મ અંગિકાર કરવા દંબાણ કરનાર સામે ફરિયાદ

       વડોદરા: હિન્દુ યુવતી સાથે લગ્ન કર્યા બાદ પોત પ્રકાશતા મુસ્લિમ યુવાને મારઝુડ કરીને બળજબરી પૂર્વક મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા શારીરિક માનસિહક ત્રાસ આપતો હોવાની ફરિયાદ ફતેગંજ પોલીસ મથકે નોંધાઇ હતી.

છાણી જકાતનાકા પાસે રહેતી 2 વર્ષીય પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું હતું ક અગાઉ નિઝામપુરા સ્થિત કુંભારવાડામાં રહેતા હતા ત્યારે ઘરની સામે રહેતો તોસિફ કિરણભાઇ રાણા સાથે પરિચય થયો હતો. વારંવાર બંને વચ્ચેની મુલાકાતોથી પ્રેમ સંબંધ બંધાતા માતા-પિતાની મરજી વિરુદ્ધ તા.18/7/2018ના રોજ તોસિફ સાથે પ્રેમલગ્ન કર્યા હતા.

ભાઇના લગ્ન બાદ યુવતી તા.16/6/2019ના રોજ તોસિફ સાથે પલાયન થઇને ટુંડાવ ખાતે ઘંરસંસાર માંડયો હતો. ચાર માસ બાદ નવયુગલ પરત નિઝામપુરા સ્થિત નવદીપ એપાર્ટમેન્ટમાં રહેવા આવી ગયા હતા. ત્યારથી પતિ મુસ્લિમ ધર્મ અંગીકાર કરી લેવા પરિણીતાને વારંવાર દબાણ કરતો હતો છતાં વશ ન થતી પરિણિતાને બિભત્સ ગાળો અાપીને ભેદભાવ રાખતો હતો અને મારઝુડ કરીને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.                              

મુસ્લિમ પતિના લવજેહાદી વર્તનથી ત્રાહિમામ પોકારી ગયેલી પરિણીતા આખરે કાનૂની શરણ લીધુ હતું અને પિયરમાં આવીને માતા-પિતાને જાણ કર્યા બાદ પતિ વિરુદ્ધ સ્ત્રી અત્યાચારનો ગુનો નોંધાવ્યો હતો.

લવ જેહાદના નબળા કાયદાનું પરિણામ

સંસ્કારીનગરી વડોદરામાં લવજેહાદના બનાવ દિવસે દિવસે વધુ બની રહ્યા છે. સર્તક યોગી સરકારે કડક વલણ અપનાવતા લવજેહાદીઓ તદ્દન કુણા પડી ગયાના અહેવાલ દેશભરમાં સાંભળવામાં મળી રહ્યા છે. પરંતુ રૂપાણી સરકારની લવ જેહાદના નામે ફક્ત ગુલબાંગો પોકારથી નઘરોળ તંત્ર તત્વોને છુટો દોર મળી રહ્યો છે. જોત જોતામાં આગામી સમયમાં હિન્દુ યુવતીઓની સલામતી જોખમાય તેવા અણસાર વર્તાઇ રહ્યા છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top