Vadodara

ડેન્ગ્યુ 24, ચિકનગુનિયા 24, સહિત ઝાડાઉલ્ટીના 58 કેસ

વડોદરા : વડોદરા શહેરમાં ધીમે ધીમે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો માથું ઊંચકી રહ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી સેમ્પલિંગની કામગીરી દરમિયાન એક દિવસમાં શહેરના જુદાજુદા વિસ્તારોમાંથી ડેન્ગ્યુના નવા 24 કેસ મળી આવ્યા હતા.જ્યારે  ચિકનગુનિયાના 24 કેસ નોંધાયા હતા.શહેરમાં મચ્છરજન્ય રોગની સાથે પાણીજન્ય રોગોએ પણ માઝા મૂકી છે.ડેન્ગ્યુના કુલ પોઝિટિવ દર્દીઓનો આંક 1480 અને ચિકનગુનિયાના દર્દીઓનો કુલ આંક 854 પર પહોંચ્યો છે. કોર્પોરેશનની વિવિધ ટિમો શહેરમાં ડોર ટુ ડોર ફરીને સર્વે કરવામાં આવી રહ્યો છે.

જેમાં ઝાડાઉલ્ટીના 58 કેસ સામે આવ્યા હતા.પાણીજન્ય રોગને કારણે 164 લોકોને તાવ હોવાનું સામે આવ્યું છે.જ્યારે મચ્છરજન્ય રોગોના 417 લોકોને તાવના લક્ષણો હોવાનું જાણવા મળતા 417 જેટલા લોકોના નમૂના લઈને તપાસ અર્થે મોકલી આપ્યા છે.વડોદરા શહેરમાં જીવલેણ ડેન્ગ્યુ , ચિકનગુનિયાના કેસોમાં પણ ઝડપથી વધારો થઈ રહ્યો છે.આરોગ્યની ટીમે શહેરમાંથી લીધેલા 90 સેમ્પલમાંથી 24 કેસ ડેન્ગ્યુના પોઝિટિવ આવ્યા છે.જેમાં શહેરના પાણીગેટ -3 , બાપોદ -2 , એકતાનગર -2 , નવાપુરા , નવાયાર્ડ -2 , નવીધરતી -2 , શિયાબાગ , અકોટા , ગોત્રી -2 , પંચવટી -3 , તાંદલજા , દિવાળીપુરા , દંતેશ્વર -2 , માંજલપુરમાંથી કેસો મળી આવ્યા હતા.સાથે સાથે ચિકનગુનિયા માટે લેવાયેલા 81 કેસો પૈકી 24 કેસ પોઝિટિવ આવ્યા હતા.

શહેરના બાપોદ , સુદામાપુરી , નવાયાર્ડ , નવી ધરતી -4 , અકોટા , ગોકુલનગર -2, ગોત્રી – 5, પંચવટી -3, જેતલપુર -2 , તાંદલજા , દિવાળીપુરા , કપુરાઈ , વડસર માંથી ચિકનગુનિયાના કેસ નોંધાયા હતા.મેલરીયાનો 1 કેસ દંતેશ્વર વિસ્તારમાંથી મળી આવ્યો હતો.તો બીજી તરફ મચ્છરોના કારણે 417 લોકોને તાવના લક્ષણો હોવાનું સામે આવતા 417 લોકોના લોહીના નમૂના લેવામાં આવ્યા હતા. રોગચાળા વધી રહ્યો છે છતાંય પાલીકાનું પેટનું પાણી હાલતુ નથી. રોગચાળાને નાથવા પાલિકા સદંતર નિષ્ફળ રહ્યું છે.

Most Popular

To Top