Charchapatra

જૂઠો ને ભ્રામક પ્રચાર મૂકી સરકાર પ્રામાણિક રીતે વેકસીનેશનમાં આગળ વધે

વર્તમાન કેન્દ્ર અને રાજય સરકાર કોરોના રસીકરણ સંદર્ભે લોકો સાથે આઘાતક રમત રમી રહી છે. મન કી બાતમાં વડા પ્રધાન બધાને ડર વિના રસી લેવાનો દંભી દેખાડો કરે છે. લોકો રસી લેવા જાય તો તેઓ આપી શકતા નથી. બધાને વેકિસન, મફત વેકિસનનું તેમનું પ્રચાર સૂત્ર સાવ જૂઠું છે. તેઓ તો એવી ય જાહેરાત કરવા માંડયા છે કે કોરોના રસીના ડોઝ બાબતે ભારો અમેરિકાને પાછળ છોડયું. ભારતની વસતિ પ્રમાણે ગણો તો વેકિસનેશન હજુ 10 ટકા સુધી પહોંચ્યું નથી. અમેરિકામાં લોકો મુકત રીતે ફરતાં થયાં છે, ભારત તો હજુ એકાદ વર્ષ કોરોનાગ્રસ્ત રહેશે એવું કહેવાય છે. સરકાર ખોટી ને ભ્રામક જાહેરાતોને આંકડાની રમતો ઓછી કરી પ્રામાણિક રીતે વેકિસીનેશન કરે. ત્રીજો વેવ લોકો નહીં. બેદરકાર સરકાર જ લાવશે.

સુરત     -અનિલ ભટ્ટ -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top