Gujarat

એલોપેથી અને આયુર્વેદિક સારવાર સાથે અપાતાં કોરોનાના દર્દી ઝડપથી સાજા થયા

વૈશ્વિક મહામારી કોરોના દર્દીઓને એલોપેથી સારવારની સાથે સાથે આયુર્વેદિક સારવાર આપવામાં આવી છે જે સાચા અર્થમાં કારગત નીવડી છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે ૧૨૦૦ બેડની કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલ ખાતે સ્ટાન્ડર્ડ એલોપેથીની સારવાર સાથે માન્ય નિશ્ચિત પ્રોટોકોલની આયુર્વેદ સારવાર માટે એલોપેથી તજજ્ઞ સમિતિની મંજૂરી સાથે સંશોધન કાર્ય હાથ ધરાયું હતું. આ સંશોધનના તારણ મુજબ બે ગ્રુપમાં 26 દર્દીઓ પર આ સંશોધન કરાયું હતું. જેમાં એલોપથીની સારવારમાં 12 દિવસમાં અને આયુર્વેદ સારવારમાં 7 દિવસમાં આરટી પીસીઆર ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો.

અમદાવાદમાં ૧૨૦૦ બેડ સિવિલ હોસ્પિટલ ખાતેની એ ગ્રુપને સ્ટાન્ડર્ડ એલોપેથીની સારવાર આપવામાં આવી હતી જેમાં એલોપેથીનો સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ અનુસરવામાં આવ્યો અને ગ્રુપ બીમાં નિશ્ચિત પ્રોટોકોલની આયુર્વેદ સારવારને એલોપેથીક સારવારની સાથે સાથે આપવામાં આવી.

અખંડાનંદ આયુર્વેદના સ્પેશિયાલિસ્ટ દ્વારા બંને જૂથમાં ૨૬ દર્દીઓ ઉપર દર્દીઓની સંમતિથી આ પ્રયોગ કરવામાં આવ્યો હતો અને તેમના જરૂરી રિપોર્ટ તથા તપાસ સારવાર પહેલા, સારવાર દરમિયાન અને સારવાર બાદ કરવામાં આવી હતી. આ સંશોધન અભ્યાસ અન્વયે કોઈપણ દર્દીમાં આડઅસર જોવા મળી નહતી. ગ્રુપ – એમાં RT-PCR ટેસ્ટ નેગેટિવ થવામાં સરેરાશ 12 દિવસ જ્યારે આયુર્વેદ સારવારના ગ્રુપ બીમાં સરેરાશ ૭ દિવસ સમય લાગ્યો હતો. એટલું જ નહીં ICU સારવાર માટે રિફર કરવામાં આવ્યા નથી તથા એક પણ દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ થયું નથી.

ગ્રુપ બી અંતર્ગત આયુર્વેદ સારવાર પ્રાપ્ત કરનાર દર્દીઓના કોવિડ-૧૯ના લક્ષણોમાં હતા તેમાં તાવ 3 દિવસ, ગળાનો સોજો 7 દિવસ, ખાંસી 5 દિવસ, શ્વાસ લેવામાં તકલીફ 14 દિવસ, શરદી 10 દિવસ, અશક્તિ 10 દિવસ, માથાનો દુખાવો 11 દિવસ, ઊબકા 3 દિવસના સરેરાશ સમયમાં દર્દીઓને રાહત જોવા મળી છે.

ગ્રુપ બીમાં આયુર્વેદ પ્રોટોકોલ અન્વયે આ ઔષધ આપી સારવાર કરાઈ
ગ્રુપ બીમાં આયુર્વેદ પ્રોટોકોલ અન્વયે ઔષધ આપીને સારવાર કરાઈ હતી જેમાં દશમૂલ ક્વાથ ૨૦ ml+, પથ્યાદિ ક્વાથ ૨૦ ml+, ત્રિકટુ ચૂર્ણ ૨ ગ્રામ, ૪૦ ml ઉકાળો દિવસમાં એકવાર સવારે ભૂખ્યા પેટે આપવામાં આવ્યો હતો. સંશમની વટી (૫૦૦ મિલિગ્રામ ટેબલેટ ) ૧ ગ્રામ સવારે અને ૧ ગ્રામ સાંજે જમ્યા પછી, આયુષ – ૬૪ ટેબલેટ (૫૦૦ મિલિગ્રામ ટેબલેટ ) એક ગ્રામ સવારે અને એક ગ્રામ સાંજે જમ્યા પછી, યષ્ટીમધુ ઘનવટી (૨૫૦ મિલિગ્રામ ચૂસવા માટેની ટેબલેટ) ત્રણ ગ્રામ પ્રતિદિન ૬ વિભાજિત ભાગમાં દિવસ દરમિયાન ચૂસવા માટે આપવામાં આવી હતી. આ દવાઓ વધુમાં વધુ ૨૮ દિવસ સુધી અથવા RT -PCR નેગેટિવ આવે ત્યાં સુધી ચાલુ રાખવામાં આવી હતી.

Most Popular

To Top