Charchapatra

શાબાશ કુમાર કાનાણી

અખબારી અહેવાલો મુજબ 10 સંસ્થા અને જાગૃત નાગરીકોએ દબાણ અને નશાખોરીની ફરિયાદ કરતા 15 દિવસથી નિકાલ ન આપતા ધારાસભ્યએ લેખિતમાં ઉકેલ લાવવા માંગણી કરતા કાર્યવાહી કરવામાં આવી. સંસ્થાઓ તથા જાગૃત નાગરીકો ફરિયાદ આપે તો ધ્યાન નથી અપાતું, એ વાત પણ ખુલી ગઇ. આ રીતે ફરિયાદ પર ધ્યાન ન આપે તો જાગૃત નાગરિકોનું મોરલ તુટી જાય છે. કમિશ્નર શ્રીએ પણ ફરિયાદ પર ધ્યાન આપી ચોકસાઇ કરાવી કાર્યવાહી કરવાની ફરજ છે. કાર્યવાહી બાદ ફરીથી આવા ગોરખધંધા ફરી ચાલુ ન થાય તેની પણ તપાસ કરતા રહેવાની સરકારી કર્મચારીઓની ફરજ છે.
સુરત- કુમુદચંદ્ર-કૃસણમુખ જરીવાલા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top