બિહાર વિધાનસભામાં નાના પક્ષોની ભૂમિકા મહત્ત્વપૂર્ણ છે. તેમને અવગણી શકાય નહીં. આ પક્ષો મત વિભાજનમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. AIMIM, AAP અને જનસુનરાજે જાહેરાત કરી છે કે તેઓ બધી બેઠકો પર ચૂંટણી લડશે. વિધાનસભા ચૂંટણી પ્રક્રિયા 10 ઓક્ટોબરથી શરૂ થશે. બધા પક્ષોએ પોતપોતાની રીતે પ્રચાર શરૂ કરી દીધો છે. આ વખતે, પ્રાદેશિક પક્ષો પણ ગણતરી બગાડી શકે છે. જો એવું હોય, તો તે નીતિશને પણ ફાયદો કરાવી શકે છે. જો ઓવૈસી ગોપાલગંજમાં મત કાપવામાં નિષ્ફળ જાય, તો અહીં આરજેડીની સફળતા નિશ્ચિત છે. બિહારમાં ભ્રષ્ટાચાર માટે દરેક ચૂંટણીમાં લાલુ પ્રસાદ યાદવનું નામ વારંવાર લેવામાં આવે છે.
દરમિયાન, તેજસ્વી યાદવે દરેક ઘરના એક વ્યક્તિને નોકરી આપવાનું વચન આપ્યા પછી, આરજેડીના પ્રદેશ પ્રમુખ ઉમેશ સિંહ કુશવાહાએ તેમના પર સીધો હુમલો કરતા કહ્યું, ‘જો કોઈ નૈતિકતા બાકી હોય, તો તેમણે નોકરીના બદલામાં જપ્ત કરેલી જમીન પરત કરવાની જાહેરાત કરવી જોઈએ.’ નોંધનીય છે કે રેલ્વે મંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન, લાલુ યાદવે નોકરીના બદલામાં લોકો પાસેથી જમીન કબજે કરી હતી. તેમનું વર્તન સ્પષ્ટપણે બેચેની, ચિંતા અને હતાશા દર્શાવે છે. કુશવાહાએ કહ્યું કે નીતિ અને ઇરાદા વિનાનો નેતા પોતાની રાજકીય છબી વધારવા માટે પાયાવિહોણા નિવેદનબાજીનો ઉપયોગ કરી શકે.
સુરત – કાંતિલાલ માંડોત- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.