ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન રાહુલ દ્રવિડે રાજસ્થાન રોયલ્સ (RR) છોડી દીધું છે. IPL 2026 પહેલા રાજસ્થાન રોયલ્સ અને રાહુલ દ્રવિડ અલગ થઈ ગયા છે. માત્ર એક સીઝન પછી કોચ પદ પરથી દ્રવિડનું રાજીનામું બધાને આશ્ચર્યચકિત કર્યા છે. જોકે, ફ્રેન્ચાઇઝીએ પોતે સોશિયલ મીડિયા પર આ અંગે માહિતી આપી હતી.
ફ્રેન્ચાઇઝીએ એમ પણ કહ્યું હતું કે દ્રવિડને એક મોટા પદની ઓફર કરવામાં આવી હતી પરંતુ તેણે ના પાડી દીધી હતી. આ દરમિયાન દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ બેટ્સમેન એબી ડી વિલિયર્સે આ સમગ્ર મામલે પોતાનો અભિપ્રાય આપ્યો છે. તેમનું કહેવું છે કે દ્રવિડની હકાલપટ્ટી કદાચ તેમની પોતાની ઇચ્છા નહીં પણ ફ્રેન્ચાઇઝનો નિર્ણય હતો.
રાજસ્થાન – દ્રવિડના સંબંધો કેમ તૂટ્યા ?
રાહુલ દ્રવિડ પાસેથી ઘણી અપેક્ષાઓ હતી, જેમણે પોતાના કોચિંગ હેઠળ 2024ના T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાને વિજય અપાવ્યો હતો પરંતુ IPL 2025માં રાજસ્થાનનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું. ટીમ પોઈન્ટ ટેબલમાં 9મા ક્રમે રહી. નબળી હરાજી વ્યૂહરચના, અસ્થિર ટીમ પસંદગી અને સંજુ સેમસનની ઈજાને કારણે છેલ્લી સિઝન રાજસ્થાન માટે ખરાબ રહી.
એબી ડી વિલિયર્સે પોતાની યુટ્યુબ ચેનલ પર કહ્યું, ‘જેમ ફૂટબોલ લીગમાં થાય છે, જ્યારે પરિણામો મળતા નથી ત્યારે કોચ પર દબાણ વધે છે અને અંતે માલિકો નિર્ણય લે છે.’ તેમણે કહ્યું કે દ્રવિડે એક મોટી ઓફર ઠુકરાવી દીધી અને આ સૂચવે છે કે તેમને મુખ્ય કોચની ભૂમિકામાંથી પણ દૂર કરવામાં આવ્યા હતા.
હરાજીમાં ક્યાં ખોટું થયું ?
એબી ડી વિલિયર્સે રાજસ્થાન રોયલ્સની હરાજીની રણનીતિ પર પણ સવાલ ઉઠાવ્યા. ટીમે જોસ બટલર, યુઝવેન્દ્ર ચહલ અને રવિચંદ્રન અશ્વિન જેવા અનુભવી ખેલાડીઓને રિલીઝ કર્યા. આનાથી ટીમનું સંતુલન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું. કેપ્ટન સંજુ સેમસનની ગેરહાજરીએ પરિસ્થિતિ વધુ ખરાબ કરી. ડી વિલિયર્સ માને છે કે આટલો મોટો ફેરફાર કરવો એ એક મોટી ભૂલ સાબિત થઈ.
હવે આગળ શું ?
હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું રાજસ્થાન રોયલ્સ સંજુ સેમસનને જાળવી રાખશે કે પછી નવા કેપ્ટનની શોધ કરશે? આ સાથે શું મીની ઓક્શન રાજસ્થાન માટે ગેમ ચેન્જર સાબિત થશે, જે નવેમ્બર-ડિસેમ્બરમાં યોજાવાની શક્યતા છે.