ક્રિકેટની રમતમાં એક રન હાર અથવા જીત માટેનું પર્યાપ્ત કારણ ગણાય છે, તેમ ચૂંટણીમાં એક મતનો ખેલ બંધારણીય સ્થિતિ નિર્ધારિત કરવા માટે પ્રમાણભૂત ગણાય છે અને આથી જ તો ‘ગરીબી નિવારણ માટે અર્થકારણ અને સેવાકાર્ય માટે રાજકારણ’ નો મહિમા હાર-જીતના દાવપેચમાં તબદિલ બની રહે છે. ગામના સરપંચથી લઈ દેશના રાષ્ટ્રપતિ સુધીના ઉમેદવારોની પસંદગીમાં વિજયની સંભાવના એક માત્ર આધાર તરીકે જોવામાં આવે છે, જે આજની લોકશાહી માટે નરી વાસ્તવિકતા છે.
બીજી બાજુ મતદાર તરીકે જીવનને ટૂંકાવીને જવાબદારીઓમાંથી મુક્ત થવા પ્રેરતી મોંઘવારી, શિક્ષણ, આરોગ્ય, સંપર્ક જેવી પ્રાથમિક સુવિધાઓની દુર્લભ સ્થિતિ વેંઢારતો સામાન્ય માણસ તો ખાતરીપૂર્વક કહે છે કે ‘જો જીતા વહી સિકંદર’, પરંતુ આવા મહિમાગાન વચ્ચે સ્વરાજની લડત સમયે મહાત્મા ગાંધી અને હજારો બલિદાનવીરોએ અપનાવેલ સાધનશુદ્ધિનો રાહ આજે તો પીગળેલ સ્થિતિમાં પણ હાથ લાગવો મુશ્કેલ દેખાય છે.
આવી હાલાત વચ્ચે ચૂંટણીલક્ષી જમીની હકીક્ત તો એવી છે કે ૯૮% ઉમેદવારો કાં તો પૈસાના જોરે, કાં તો બાવડાના બળે, અથવા તો કૌટુંબિક વારસાના હકથી ટિકિટ મેળવે છે અને મતદારોએ તો ઓછું ખરાબ સમજી મતદાન કરવું પડે છે. જમીની હકીકત એ પણ બને છે કે વર્તમાન સમયમાં પક્ષનાં પ્રતિનિધિ તરીકે સેવાપરાયણ, રાષ્ટ્રભક્ત, પ્રામાણિક, ચારિત્ર્યવાન ઉમેદવારની પસંદગી નથી તો પક્ષનું ધોરણ બનતું નથી. અપક્ષ તરીકે ચૂંટણી લડવા માટેનું સમાજ માધ્યમ બનતું.
આથી નિર્વિકલ્પે ધર્મ, જાતિ, જ્ઞાતિ જેવા પારંપારિક માપદંડોથી દેશના સીમાડાઓ વચ્ચે જન્મેલ નાગરિક લોકશાહીનો રખેવાળ બનવાલાયક ઠરે છે, જે સ્વયં દુ:ખદ છે, ચિંતાકારી છે ત્યારે વિશ્વની સહુથી વધુ જનસંખ્યા ધરાવતા દેશની લોકશાહીમાં ચૂંટાતાં પ્રજાનાં પ્રતિનિધિઓ સૌહાર્દ, સ્વીકાર અને સમભાવનું પ્રતિનિધિત્વ કરવાના બદલે જે પશ્ચાદ્ ભૂમિકા લઈને બંધારણીય આસન ઉપર આરૂઢ થાય છે તે સ્વયં લોકશાહી માટે ખતરારૂપ છે. જે વાતને સ્વીકારી એક નવા દૃષ્ટિકોણથી જન-પ્રતિનિધિને ચૂંટી લોકશાહીને ટકાવી રાખવા પ્રબુદ્ધ નાગરિકોએ વિચારવું રહ્યું.
ઈતિહાસ નોંધે છે કે ગણ રાજ્યોની સંભાવના નષ્ટ થતાં રાજાશાહી ઉદય પામી, તેના સ્થાને કયાંક શસ્ત્રોના જોરે સરમુખ્યત્યારો પ્રવેશ્યા. સમય જતાં સમાન હેતુથી જોડાયેલ સંગઠનો લેટીસ્ટ તરીકે વિશ્વના કેટલાક દેશોમાં રાજ્યશાસક બન્યા. આ બધાં પરિબળો પ્રજાતંત્ર માટે બુદ્ધિગમ્ય તો નથી જ, પરંતુ ૨૧મી સદીમાં એક નવું પરિમાણ વિસ્તરી રહ્યું છે તે ‘એક ધર્મ પાળતા સમુદાયનું પ્રભુત્વ’ જે સમયાંતરે વિધ્વંસકારી સાબિત થતું જોવા મળી રહ્યું છે.
માનવ સમુદાયે ૮-૧૨ હજાર વર્ષના સાતત્યથી વિકસાવેલ માનવમૂલ્યોના સ્થાને ઈસા પૂર્વે ૧૪૭૪ વર્ષથી ઊભરી આવેલ મુસ્લિમ સમુદાય શેરિયતની રીતરસમોને આખરી માનવાનો દુરાગ્રહ રાખી બહુમતીના જોરે પ્રજાતંત્રના આધારસ્તંભ સમાન વ્યક્તિસ્વાતંત્ર્ય, સૌહાર્દ, સત્ય અને સમભાવને એક તરફ ધકેલી રહ્યું છે. આથી, અફઘાનિસ્તાન માફક દુનિયાના અન્ય દેશોમાંથી પણ માનવીય મૂલ્યોની બૌદ્ધિક યાત્રા સ્થગિત થતી જોવા મળે છે.
જૈવિક વિજ્ઞાનના આધારે જોઈએ તો પણ બ્રહ્માંડમાં પૃથ્વીને ઓળખ આપનાર મનુષ્ય અને છેલ્લાં ૪ કરોડ વર્ષથી પૃથ્વી પર વિકસેલ ઉંદરનાં રંગસૂત્રો તો ૯૯% સરખા છે. આમ છતાં, બે પગ ઉપર સીધી કમરથી ઊભાં રહેલાં માનવ મસ્તિષ્ક જે મૂલ્યો વિકસાવ્યાં છે તે માત્ર ૧%નો ચમત્કાર ગણી શકાય. કાળક્રમે માનવજાતે આત્માના સ્વભાવ તરીકે પોતાનાં જીન્સમાં અપનાવેલ સ્વતંત્રતા, નિર્ભયતા, આનંદ, શાંતિ, પ્રેમ જેવા ભાવો જળવાઈ રહે તે માટે પણ મુક્ત માનવજીવનને પ્રેરણા ધર્મો અને રાજકીય વિચારસરણી જ લોકશાહીની ડ્રાઇવીંગ સીટ ઉપર બેસવાને લાયક ઠરે છે.
ઈતિહાસ નોંધે છે કે જમીની સ્થિતિ બદલાય છે ત્યારે સમાજે પોતાના આચારવિચાર બદલ્યા છે. ઉદાહરણ તરીકે મોહેંજો-દરો, હડપ્પન સંસ્કૃતિમાં પુરુષાર્થનું મહત્ત્વ હતું, પુરુષાર્થ પ્રતિમાઓ સ્થાપત્ય તરીકે વિકસેલ, પરંતુ ત્યાર બાદ ઉપનિષદ કાળમાં કપિલ મુનિએ સાંખ્ય દર્શન આપી ધ્યાનસ્થ ચિંતનનો દૃષ્ટિકોણ વિકસાવ્યો તો જગત ઉપર અહિંસા જેવી પ્રબળ સામાજિક ચેતના વિશ્વભરની માનવતાને અસરકર્તા બની.
જૈન અને બૌદ્ધ રાજાઓની પરંપરામાં કેન્દ્ર વિચાર બની અને સ્વતંત્ર ભારતની લડતનો આધાર અહિંસા બની. એટલું જ નહીં પણ ભારતના બંધારણે અહિંસક જીવનના સ્વીકાર તરીકે સામાજિક સૌહાર્દને સ્વસ્થ નાગરિક જીવન તરીકે સ્વીકારી. અહીં એક તર્ક તો બિલકુલ સ્પષ્ટ છે કે ભારતની લોકશાહીએ સમયાંતરે પોતાનાં પારંપારિક ખ્યાલો બદલ્યા છે અને તેનાં ઉત્તમ પરિણામો નાગરિક સ્વાતંત્ર્યને ટકાવી રાખવા બળરૂપ બન્યાં છે ત્યારે પુખ્ત વયના નાગરિક્તા એક મતનું પૂનઃ મૂલ્યાંકન માગે છે.
સંયુક્ત આરબ અમિરાત અને ઈઝરાયલના રાજકીય ગઠબંધનને ટકાવી રાખવા રાજકીય ઈચ્છાશક્તિથી અબ્રાહમ નામે સંપ્રદાય પ્રચલિત કરવાનો પ્રયોગ છેલ્લાં ૧૧ વર્ષથી બંને રાષ્ટ્રોમાં ગતિમાન છે, જેમાં કુર્રાન-બાઈબલ અને યહુદીઓના ધર્મગ્રંથ તૈરાતનાં સમાન વિચારોને નવા ધર્મ તરીકે વિસ્તારવા કામ થઈ રહ્યું છે, પરંતુ ઈતિહાસ નોંધે છે કે, નાગરિકોની ધાર્મિક વિચારસરણી એક કરવાનું અત્યંત કઠીન હોય છે અને આથી જ તો દુનિયામાં પ૭ મુસ્લિમ વિચારસરણીના શાસક દેશો અબ્રાહમ વિચારસરણીનો વિરોધ કરે છે, તેથી વિશેષ ભારતના ૨૮ કરોડ મુસ્લિમ મતદારો પણ શેરિયતથી વિરુદ્ધ વિચારની તરફેણમાં ઉત્સાહિત નથી જણાતાં.
દુનિયાની જમીની હકીકતોને સ્વીકારી ભારતે પોતાની ૮૦૦૦ વર્ષની ભારતીયતા જાળવવા પુખ્ત વયનાં નાગરિકોના એકમતની વ્યવસ્થાનું પુનઃ મૂલ્યાંકન કરવું અનિવાર્ય બને છે, જેથી બહુમતીના જોરે શેરિયત આધારિત વિચારસરણી શાસન પ્રથા ન બની જાય. પ્રક્રિયા કઠિન છે પણ, અનેક રાજકીય, ધાર્મિક અને સામાજિક દૂષણોમાંથી માનવજાતને બહાર કાઢવાનો રામબાણ ઈલાજ પણ આજ છે જે નિર્વિવાદ જણાય છે.
ડો.નાનક ભટ્ટ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
ક્રિકેટની રમતમાં એક રન હાર અથવા જીત માટેનું પર્યાપ્ત કારણ ગણાય છે, તેમ ચૂંટણીમાં એક મતનો ખેલ બંધારણીય સ્થિતિ નિર્ધારિત કરવા માટે પ્રમાણભૂત ગણાય છે અને આથી જ તો ‘ગરીબી નિવારણ માટે અર્થકારણ અને સેવાકાર્ય માટે રાજકારણ’ નો મહિમા હાર-જીતના દાવપેચમાં તબદિલ બની રહે છે. ગામના સરપંચથી લઈ દેશના રાષ્ટ્રપતિ સુધીના ઉમેદવારોની પસંદગીમાં વિજયની સંભાવના એક માત્ર આધાર તરીકે જોવામાં આવે છે, જે આજની લોકશાહી માટે નરી વાસ્તવિકતા છે.
બીજી બાજુ મતદાર તરીકે જીવનને ટૂંકાવીને જવાબદારીઓમાંથી મુક્ત થવા પ્રેરતી મોંઘવારી, શિક્ષણ, આરોગ્ય, સંપર્ક જેવી પ્રાથમિક સુવિધાઓની દુર્લભ સ્થિતિ વેંઢારતો સામાન્ય માણસ તો ખાતરીપૂર્વક કહે છે કે ‘જો જીતા વહી સિકંદર’, પરંતુ આવા મહિમાગાન વચ્ચે સ્વરાજની લડત સમયે મહાત્મા ગાંધી અને હજારો બલિદાનવીરોએ અપનાવેલ સાધનશુદ્ધિનો રાહ આજે તો પીગળેલ સ્થિતિમાં પણ હાથ લાગવો મુશ્કેલ દેખાય છે.
આવી હાલાત વચ્ચે ચૂંટણીલક્ષી જમીની હકીક્ત તો એવી છે કે ૯૮% ઉમેદવારો કાં તો પૈસાના જોરે, કાં તો બાવડાના બળે, અથવા તો કૌટુંબિક વારસાના હકથી ટિકિટ મેળવે છે અને મતદારોએ તો ઓછું ખરાબ સમજી મતદાન કરવું પડે છે. જમીની હકીકત એ પણ બને છે કે વર્તમાન સમયમાં પક્ષનાં પ્રતિનિધિ તરીકે સેવાપરાયણ, રાષ્ટ્રભક્ત, પ્રામાણિક, ચારિત્ર્યવાન ઉમેદવારની પસંદગી નથી તો પક્ષનું ધોરણ બનતું નથી. અપક્ષ તરીકે ચૂંટણી લડવા માટેનું સમાજ માધ્યમ બનતું.
આથી નિર્વિકલ્પે ધર્મ, જાતિ, જ્ઞાતિ જેવા પારંપારિક માપદંડોથી દેશના સીમાડાઓ વચ્ચે જન્મેલ નાગરિક લોકશાહીનો રખેવાળ બનવાલાયક ઠરે છે, જે સ્વયં દુ:ખદ છે, ચિંતાકારી છે ત્યારે વિશ્વની સહુથી વધુ જનસંખ્યા ધરાવતા દેશની લોકશાહીમાં ચૂંટાતાં પ્રજાનાં પ્રતિનિધિઓ સૌહાર્દ, સ્વીકાર અને સમભાવનું પ્રતિનિધિત્વ કરવાના બદલે જે પશ્ચાદ્ ભૂમિકા લઈને બંધારણીય આસન ઉપર આરૂઢ થાય છે તે સ્વયં લોકશાહી માટે ખતરારૂપ છે. જે વાતને સ્વીકારી એક નવા દૃષ્ટિકોણથી જન-પ્રતિનિધિને ચૂંટી લોકશાહીને ટકાવી રાખવા પ્રબુદ્ધ નાગરિકોએ વિચારવું રહ્યું.
ઈતિહાસ નોંધે છે કે ગણ રાજ્યોની સંભાવના નષ્ટ થતાં રાજાશાહી ઉદય પામી, તેના સ્થાને કયાંક શસ્ત્રોના જોરે સરમુખ્યત્યારો પ્રવેશ્યા. સમય જતાં સમાન હેતુથી જોડાયેલ સંગઠનો લેટીસ્ટ તરીકે વિશ્વના કેટલાક દેશોમાં રાજ્યશાસક બન્યા. આ બધાં પરિબળો પ્રજાતંત્ર માટે બુદ્ધિગમ્ય તો નથી જ, પરંતુ ૨૧મી સદીમાં એક નવું પરિમાણ વિસ્તરી રહ્યું છે તે ‘એક ધર્મ પાળતા સમુદાયનું પ્રભુત્વ’ જે સમયાંતરે વિધ્વંસકારી સાબિત થતું જોવા મળી રહ્યું છે.
માનવ સમુદાયે ૮-૧૨ હજાર વર્ષના સાતત્યથી વિકસાવેલ માનવમૂલ્યોના સ્થાને ઈસા પૂર્વે ૧૪૭૪ વર્ષથી ઊભરી આવેલ મુસ્લિમ સમુદાય શેરિયતની રીતરસમોને આખરી માનવાનો દુરાગ્રહ રાખી બહુમતીના જોરે પ્રજાતંત્રના આધારસ્તંભ સમાન વ્યક્તિસ્વાતંત્ર્ય, સૌહાર્દ, સત્ય અને સમભાવને એક તરફ ધકેલી રહ્યું છે. આથી, અફઘાનિસ્તાન માફક દુનિયાના અન્ય દેશોમાંથી પણ માનવીય મૂલ્યોની બૌદ્ધિક યાત્રા સ્થગિત થતી જોવા મળે છે.
જૈવિક વિજ્ઞાનના આધારે જોઈએ તો પણ બ્રહ્માંડમાં પૃથ્વીને ઓળખ આપનાર મનુષ્ય અને છેલ્લાં ૪ કરોડ વર્ષથી પૃથ્વી પર વિકસેલ ઉંદરનાં રંગસૂત્રો તો ૯૯% સરખા છે. આમ છતાં, બે પગ ઉપર સીધી કમરથી ઊભાં રહેલાં માનવ મસ્તિષ્ક જે મૂલ્યો વિકસાવ્યાં છે તે માત્ર ૧%નો ચમત્કાર ગણી શકાય. કાળક્રમે માનવજાતે આત્માના સ્વભાવ તરીકે પોતાનાં જીન્સમાં અપનાવેલ સ્વતંત્રતા, નિર્ભયતા, આનંદ, શાંતિ, પ્રેમ જેવા ભાવો જળવાઈ રહે તે માટે પણ મુક્ત માનવજીવનને પ્રેરણા ધર્મો અને રાજકીય વિચારસરણી જ લોકશાહીની ડ્રાઇવીંગ સીટ ઉપર બેસવાને લાયક ઠરે છે.
ઈતિહાસ નોંધે છે કે જમીની સ્થિતિ બદલાય છે ત્યારે સમાજે પોતાના આચારવિચાર બદલ્યા છે. ઉદાહરણ તરીકે મોહેંજો-દરો, હડપ્પન સંસ્કૃતિમાં પુરુષાર્થનું મહત્ત્વ હતું, પુરુષાર્થ પ્રતિમાઓ સ્થાપત્ય તરીકે વિકસેલ, પરંતુ ત્યાર બાદ ઉપનિષદ કાળમાં કપિલ મુનિએ સાંખ્ય દર્શન આપી ધ્યાનસ્થ ચિંતનનો દૃષ્ટિકોણ વિકસાવ્યો તો જગત ઉપર અહિંસા જેવી પ્રબળ સામાજિક ચેતના વિશ્વભરની માનવતાને અસરકર્તા બની.
જૈન અને બૌદ્ધ રાજાઓની પરંપરામાં કેન્દ્ર વિચાર બની અને સ્વતંત્ર ભારતની લડતનો આધાર અહિંસા બની. એટલું જ નહીં પણ ભારતના બંધારણે અહિંસક જીવનના સ્વીકાર તરીકે સામાજિક સૌહાર્દને સ્વસ્થ નાગરિક જીવન તરીકે સ્વીકારી. અહીં એક તર્ક તો બિલકુલ સ્પષ્ટ છે કે ભારતની લોકશાહીએ સમયાંતરે પોતાનાં પારંપારિક ખ્યાલો બદલ્યા છે અને તેનાં ઉત્તમ પરિણામો નાગરિક સ્વાતંત્ર્યને ટકાવી રાખવા બળરૂપ બન્યાં છે ત્યારે પુખ્ત વયના નાગરિક્તા એક મતનું પૂનઃ મૂલ્યાંકન માગે છે.
સંયુક્ત આરબ અમિરાત અને ઈઝરાયલના રાજકીય ગઠબંધનને ટકાવી રાખવા રાજકીય ઈચ્છાશક્તિથી અબ્રાહમ નામે સંપ્રદાય પ્રચલિત કરવાનો પ્રયોગ છેલ્લાં ૧૧ વર્ષથી બંને રાષ્ટ્રોમાં ગતિમાન છે, જેમાં કુર્રાન-બાઈબલ અને યહુદીઓના ધર્મગ્રંથ તૈરાતનાં સમાન વિચારોને નવા ધર્મ તરીકે વિસ્તારવા કામ થઈ રહ્યું છે, પરંતુ ઈતિહાસ નોંધે છે કે, નાગરિકોની ધાર્મિક વિચારસરણી એક કરવાનું અત્યંત કઠીન હોય છે અને આથી જ તો દુનિયામાં પ૭ મુસ્લિમ વિચારસરણીના શાસક દેશો અબ્રાહમ વિચારસરણીનો વિરોધ કરે છે, તેથી વિશેષ ભારતના ૨૮ કરોડ મુસ્લિમ મતદારો પણ શેરિયતથી વિરુદ્ધ વિચારની તરફેણમાં ઉત્સાહિત નથી જણાતાં.
દુનિયાની જમીની હકીકતોને સ્વીકારી ભારતે પોતાની ૮૦૦૦ વર્ષની ભારતીયતા જાળવવા પુખ્ત વયનાં નાગરિકોના એકમતની વ્યવસ્થાનું પુનઃ મૂલ્યાંકન કરવું અનિવાર્ય બને છે, જેથી બહુમતીના જોરે શેરિયત આધારિત વિચારસરણી શાસન પ્રથા ન બની જાય. પ્રક્રિયા કઠિન છે પણ, અનેક રાજકીય, ધાર્મિક અને સામાજિક દૂષણોમાંથી માનવજાતને બહાર કાઢવાનો રામબાણ ઈલાજ પણ આજ છે જે નિર્વિવાદ જણાય છે.
ડો.નાનક ભટ્ટ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.